(N/A) આયનિક સંતુલન એ વિદ્યુતવિભાજ્યના જલીય દ્રાવણમાં અણુઓ અને આયનો વચ્ચે સ્થપાયેલ ગતિશીલ સંતુલન છે.
ઉદાહરણ: $Fe_{(aq)}^{3+} + SCN_{(aq)}^{-} \rightleftharpoons [Fe(SCN)]_{(aq)}^{2+}$
પદાર્થોને દ્રાવણમાં તેમની વર્તણૂકના આધારે વર્ગીકૃત કરી શકાય છે:
$1$. અ-વિદ્યુતવિભાજ્ય: ખાંડ જેવા પદાર્થો જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરતા નથી કારણ કે તેઓ આયનો ઉત્પન્ન કરતા નથી. તેથી,અ-વિદ્યુતવિભાજ્ય પદાર્થોમાં આયનિક સંતુલન જોવા મળતું નથી.
$2$. પ્રબળ વિદ્યુતવિભાજ્ય: આ પદાર્થો પાણીમાં લગભગ $100 \%$ આયનીકરણ પામે છે. ઉદાહરણ તરીકે,$NaCl$ એક પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે. આવા દ્રાવણોમાં આયનિક સાંદ્રતા અને વાહકતા ઊંચી હોય છે.
$3$. નિર્બળ વિદ્યુતવિભાજ્ય: આ પદાર્થો દ્રાવણમાં ખૂબ ઓછા પ્રમાણમાં (સામાન્ય રીતે $5 \%$ થી ઓછું) આયનીકરણ પામે છે. નિર્બળ વિદ્યુતવિભાજ્યમાં,આયનો અને અ-આયનીકૃત અણુઓ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે.
ઉદાહરણ: $CH_{3}COOH_{(aq)} \rightleftharpoons CH_{3}COO_{(aq)}^{-} + H_{(aq)}^{+}$
આયનિક સંતુલન સામાન્ય રીતે નિર્બળ એસિડ,નિર્બળ બેઇઝ અને તેમના ક્ષારોના દ્રાવણમાં સ્થપાય છે.