સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની પરમાણ્વીયકરણ એન્થાલ્પી વિશે લખો.
$(a)$ સંક્રાંતિ તત્વો ઊંંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની પરમાણ્વીયકરણ એન્થાલ્પી નીચેની આકૃતિ પ્રમાણે છે.
દરેક શ્રેણીમાં લગભગ મધ્યમાં મહત્તમ પરમાણ્વીયકરણ ઍન્થાલ્પી છે, કારણ કે મધ્યમાં ઈલેક્ટ્રૉનની સંખ્યા વધારે છે. પ્રબળ આંતરપરમાણવીય પારસ્પરિક ક્રિયા માટે પ્રતિ $d$ - કક્ષક $1$ અયુગ્મિત ઈલેક્ટ્રોન હાજર હોવો વિશેષ રીતે અનુકૂળ હોય છે. 'સામાન્ય રીતે એકાકી સંયોજકતા $d$ - ઈલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હશે તેટલું પરિણામી બંધન પ્રબળ હશે.'
$(b)$ પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મહત્ત્વ :
ધાતુના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન કરવામાં પરમાણ્વીયકરણ ઍન્થાલ્પી અગત્યનું પરિબળ છે.
$\Rightarrow$ જેમ તત્ત્વની પરમાણવીયકરણ ઍન્થાલ્પીનું મૂલ્ય વધારે તેમ તે ધાતુનું ઉત્કલનબિંદુુ ઊંંચુ હોય છે.
$\Rightarrow$ જેમ ધાતુઓની પરમાણ્વીયકરણ ઍન્થાલ્પીનું મૂલ્ય ઊંંચુ તેમ તે તત્વોની પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું વધારે વલણ હોય છે. 'દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની ધાતુઓની પરમાણવીયકરણ એન્થાલ્પીનાં મુલ્યો પ્રથમ શ્રેણીનાં અનુવર્તી તત્ત્વો કરતાં વધારે હોય છે.' આ પરિબળના કારણે ભારે સંક્રાંતિ ધાતુઓનાં સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ-ધાતુ બંધન બનાવવામાં મહત્વ છે.
$Cr^{3+}$ અને $Co^{2+}$ આયનોમાં સમાન સંખ્યાના અયુગ્મ ઇલેક્ટ્રોનો હોવા છતાં $Cr^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા $3.87\,BM$ અને $Co^{+2}$ ની $4.87\,BM$ છે. શાથી ?
સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા કઈ નથી
નીચેના પૈકી કઈ જોડીનું આયોનિક કદ લગભગ સમાન હશે ?
સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?