આવૃત બીજધારીમાં બેવડું ફલન એટલે શું ? સમજાવો.
$\Rightarrow$ પરાગાશયમાંથી પરાગરજ વિકિરણ પામ્યા બાદ પવન કે અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન સુધી વહન કરે છે, જેને પરાગનયન (Pollination) કહે છે.
$\Rightarrow$ પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા પરાગનલિકાનો વિકાસ થઈ તે અંડક સુધી પહોંચાડે છે. પરાગનલિકા ભૂણપુટમાં પ્રવેશી બે જન્યુઓ મુક્ત કરે છે.
$\Rightarrow$ નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી ફલિતાંડ (યુગ્મક -Syngamy)નું નિર્માણ કરે છે. જયારે બીજો નરજન્ય દ્વિકીય, દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાણ પામી ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર ($PEN - Primary\; Endosperm \;Nucleus$) ઉત્પન્ન કરે છે. અહીં બે જોડાણો - એક અંડકોષ સાથેનું અને બીજું દ્વિકીય, દ્વિતીયક કોષકેન્દ્ર સાથે સંકલિત હોવાને કારણે આ ઘટનાને બેવડું ફલન (Double fertilization) કહે છે. જે આવૃત બીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના છે.
$\Rightarrow$ ફલિતાંડનો ભૂણ (એક કે બે બીજપત્રો સાથે) ભૂણમાં વિકાસ થાય છે અને PEN એ ભૂણપોષમાં વિકાસ પામે છે. જે વિકાસ પામતા ધૂણને પોષણ પૂરું પાડે છે. ફલન બાદ સહાયક કોષો અને પ્રતિધ્રુવ કોષો અધઃપતન પામે છે, આ ઘટના રે દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે.
બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.
આવૃત બીજધારીઓમાં બેવડું ફલન સમજાવો.
સંયુગ્મન એ પ્રક્રિયા છે, કે જેમાં .....
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષની શરૂઆત પ્રેરવા બેવડા ફલનમાં જરૂરી .....