ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું ? ઉદાહરણો આપો.
ઉષ્માક્ષેપક (Exothermic) રાસાયણિક પ્રક્રિયા : એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નીપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. દા.ત.,
$(i)$ ${H_2}S{O_4}(aq)\,\xrightarrow{{{H_2}O}}2{H^ + }(aq) + SO_4^{2 - }(aq) + $ ઉષ્મા
$(ii)$ $C{{H}_{4}}(g)+2{{O}_{2}}(g)\to C{{O}_{2}}(g)+\,2{{H}_{2}}O(g)\,+$ ઉષ્મા
મિથેન ઓક્સિજન ડાયોક્સાઇડ કાર્બન પાણી
$(iii)$ ${C_6}{H_{12}}{O_6}(aq)\, + \,6{O_2}(g)\, \to \,6C{O_2}(aq)\, + \,6{H_2}O(g) + $ ઉષ્મા
ગ્લુકોઝ ઓક્સિજન ડાયોક્સાઇડ કાર્બન પાણી
ઉષ્માશોષક (Endothermic) રાસાયણિક પ્રક્રિયા : એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકોનું રૂપાંતર નીપજો માં થાય છે ત્યારે ઉષ્માનું શોષણ (ઉમેરો) થતો હોય તો તેને ઉષ્માશોષક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. દા.ત.,
$(i)$ $CaC{{O}_{3}}(s)\,+\,$ ઉષ્મા $ \to CaO\, + \,C{O_2}$
ફોડેલો ચૂનો કળીચૂનો કાર્બન ડાયોક્સાઇડ
$(ii)$ ${N_2}(g)\, + \,{O_2}(s)\,\,\, + $ ઉષ્મા $ \to \,2NO$
નાઇટ્રોજન ઓક્સિજન નાઈટ્રિક ઑક્સાઇડ
$(iii)$ $N{H_4}Cl(aq)\, + $ ઉષ્મા $ \to NH_4^ + (aq)\, + \,C{l^ - }(aq)$
એમોનિયમ ક્લોરાઈડ એમોનિયમ આયન ક્લોરાઈડ આયન
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે ?
નીચેનાં રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો :
$(a)$ $HNO _{3}+ Ca ( OH )_{2} \longrightarrow Ca \left( NO _{3}\right)_{2}+ H _{2} O$
$(b)$ $NaOH + H _{2} SO _{4} \longrightarrow Na _{2} SO _{4}+ H _{2} O$
$(c)$ $NaCl + AgNO _{3} \longrightarrow AgCl + NaNO _{3}$
$(d)$ $BaCl _{2}+ H _{2} SO _{4} \longrightarrow BaSO _{4}+ HCl$
નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો :
$(a)$ કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ કાર્બન ડાયૉક્સાઇડ $\to $ કૅલ્શિયમ કાર્બોનેટ $+$ પાણી
$(b)$ ઝિંક + સિલ્વર નાઇટ્રેટ $\to $ ઝિંક નાઇટ્રેટ $+$ સિલ્વર
$(c)$ ઍલ્યુમિનિયમ $+$ કૉપર ક્લોરાઇડ $\to $ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ $+$ કૉપર
$(d)$ બૅરિયમ ક્લોરાઇડ $+$ પોટૅશિયમ સલ્ફેટ $\to $ બૅરિયમ સલ્ફેટ $+$ પોટેશિયમ ક્લોરાઇડ
જ્યારે કૉપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કૉપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે ?