(N/A) $\Rightarrow$ બાષ્પોત્સર્જન વનસ્પતિમાં એક કરતા વધુ હેતુઓ પૂરા પાડે છે.
$\Rightarrow$ તે બાષ્પોત્સર્જન ખેંચાણ (transpiration pull) ઉત્પન્ન કરે છે,જે મૂળ દ્વારા પાણીના શોષણ અને વહન માટે જરૂરી છે.
$\Rightarrow$ તે પ્રકાશસંશ્લેષણ માટે પાણી પૂરું પાડે છે.
$\Rightarrow$ તે બાષ્પીભવન દ્વારા ઠંડક ઉત્પન્ન કરીને પર્ણની સપાટીને $10$ થી $15$ $^{\circ}C$ જેટલી ઠંડી રાખે છે.
$\Rightarrow$ તે કોષોને આસુન (turgid) રાખીને વનસ્પતિનો આકાર અને બંધારણ જાળવી રાખે છે.
$\Rightarrow$ પ્રકાશસંશ્લેષણ અને પાણીની પ્રાપ્યતા: સક્રિય રીતે પ્રકાશસંશ્લેષણ કરતી વનસ્પતિને પાણીની ખૂબ જરૂર હોય છે. પ્રકાશસંશ્લેષણ ઉપલબ્ધ પાણી દ્વારા મર્યાદિત છે,જે બાષ્પોત્સર્જન દ્વારા ઝડપથી ઘટી શકે છે.
$\Rightarrow$ વર્ષાવનોમાં ભેજનું પ્રમાણ મુખ્યત્વે મૂળથી પર્ણ અને વાતાવરણ સુધી પાણીના સતત ચક્રને કારણે હોય છે.
$\Rightarrow$ $C_{4}$ પ્રકાશસંશ્લેષણ પદ્ધતિનો ઉદ્દભવ એ પાણીના વ્યયને ઘટાડીને $CO_{2}$ ની પ્રાપ્યતા વધારવાની એક વ્યૂહરચના છે.
$\Rightarrow$ કાર્બન સ્થાપન (શર્કરા બનાવવી) ની દ્રષ્ટિએ $C_{4}$ વનસ્પતિઓ $C_{3}$ વનસ્પતિઓ કરતા બમણી કાર્યક્ષમ છે.
$\Rightarrow$ જોકે,$C_{4}$ વનસ્પતિ સમાન પ્રમાણમાં $CO_{2}$ સ્થાપિત કરવા માટે $C_{3}$ વનસ્પતિ કરતા અડધું જ પાણી ગુમાવે છે.