વીનનો સ્થાનાંતરનો નિયમ (Wien's displacement law) લખો અને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈપણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્મીય વિકિરણો વિવિધ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોના બનેલા હોય છે અને આ તરંગો એક સતત વર્ણપટ રચે છે, પરંતુ અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રમાણ વધારે હોય છે.
ઉદાહરણ તરીકે, ઓરડાના તાપમાને $(300 \; K)$ કૃષ્ણ પદાર્થના વિકિરણમાં મોટાભાગના વિકિરણો $95,500 \; \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો (ઇન્ફ્રારેડ તરંગો) હોય છે.
જેમ તાપમાન વધારવામાં આવે છે, તેમ નાની તરંગલંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે છે.
આશરે $1100 \; K$ તાપમાને, લાલ રંગને અનુરૂપ તરંગલંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધારે હોવાથી પદાર્થ લાલ દેખાય છે.
વીનનો સ્થાનાંતરનો નિયમ: "કોઈપણ પદાર્થની સપાટી પરથી ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ વર્ણપટ ઉત્સર્જન શક્તિને અનુરૂપ તરંગલંબાઈ $(\lambda_{m})$, ઉત્સર્જક સપાટીના નિરપેક્ષ તાપમાન $(T)$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે."
ગાણિતિક રીતે, $\lambda_{m} \propto \frac{1}{T}$ અથવા $\lambda_{m} T = b$, જ્યાં $b$ એ વીનનો અચળાંક છે.
વીનનો અચળાંકનું મૂલ્ય $2.9 \times 10^{-3} \; m \cdot K$ છે.
નોંધ: અહીં $\lambda_{m}$ એ મહત્તમ તરંગલંબાઈ નથી, પરંતુ તે તરંગલંબાઈ છે કે જેના પર વિકિરણ ઉર્જા ઘનતા મહત્તમ હોય છે.
આ નિયમ સમજાવે છે કે લોખંડના ટુકડાને ગરમ કરવાથી તે પહેલા લાલ, પછી લીલો-પીળો અને અંતે સફેદ કેમ દેખાય છે.
વીનનો નિયમ સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેવા અવકાશી પદાર્થોની સપાટીનું તાપમાન અંદાજવા માટે ઉપયોગી છે.

Explore More

Similar Questions

સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જાતા વિકિરણમાં મહત્તમ તીવ્રતાવાળા વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

બે તારાઓ $A$ અને $B$ અનુક્રમે $360 \ nm$ અને $480 \ nm$ ની તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો $A$ અને $B$ ના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

રાત્રે બે તારાઓ $P$ અને $Q$ અવલોકિત થાય છે. તારો $P$ લાલ રંગનો દેખાય છે જ્યારે તારો $Q$ સફેદ છે. આના પરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે:

$900\,K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની મહત્તમ તરંગલંબાઈ $4\,\mu m$ છે. $1200\,K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે ($,\mu m$ માં)?

જો $\lambda_{m}$ એ તરંગલંબાઈ દર્શાવે છે કે જેના પર $T \; K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) માંથી થતું ઉત્સર્જન મહત્તમ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo