(N/A) કોઈપણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્મીય વિકિરણો વિવિધ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગોના બનેલા હોય છે અને આ તરંગો એક સતત વર્ણપટ રચે છે, પરંતુ અમુક ચોક્કસ આવૃત્તિવાળા વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રમાણ વધારે હોય છે.
ઉદાહરણ તરીકે, ઓરડાના તાપમાને $(300 \; K)$ કૃષ્ણ પદાર્થના વિકિરણમાં મોટાભાગના વિકિરણો $95,500 \; \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો (ઇન્ફ્રારેડ તરંગો) હોય છે.
જેમ તાપમાન વધારવામાં આવે છે, તેમ નાની તરંગલંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે છે.
આશરે $1100 \; K$ તાપમાને, લાલ રંગને અનુરૂપ તરંગલંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધારે હોવાથી પદાર્થ લાલ દેખાય છે.
વીનનો સ્થાનાંતરનો નિયમ: "કોઈપણ પદાર્થની સપાટી પરથી ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ વર્ણપટ ઉત્સર્જન શક્તિને અનુરૂપ તરંગલંબાઈ $(\lambda_{m})$, ઉત્સર્જક સપાટીના નિરપેક્ષ તાપમાન $(T)$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે."
ગાણિતિક રીતે, $\lambda_{m} \propto \frac{1}{T}$ અથવા $\lambda_{m} T = b$, જ્યાં $b$ એ વીનનો અચળાંક છે.
વીનનો અચળાંકનું મૂલ્ય $2.9 \times 10^{-3} \; m \cdot K$ છે.
નોંધ: અહીં $\lambda_{m}$ એ મહત્તમ તરંગલંબાઈ નથી, પરંતુ તે તરંગલંબાઈ છે કે જેના પર વિકિરણ ઉર્જા ઘનતા મહત્તમ હોય છે.
આ નિયમ સમજાવે છે કે લોખંડના ટુકડાને ગરમ કરવાથી તે પહેલા લાલ, પછી લીલો-પીળો અને અંતે સફેદ કેમ દેખાય છે.
વીનનો નિયમ સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેવા અવકાશી પદાર્થોની સપાટીનું તાપમાન અંદાજવા માટે ઉપયોગી છે.