તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે ? શા માટે ?
તૈલી તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન એ ઑક્સિજનની સરખામણીમાં નિષ્ક્રિય વાયુ છે.
જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી હાજર હોય તો તેનું હવામાંના ઑક્સિજન વડે ઑક્સિડેશન થાય છે અને ત્યારે ખોરું થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે.
આજ કારણથી બટાકાની ચિપ્સનું ઑક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુમાં તેઓનું પેકિંગ કરવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.
ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું ? ઉદાહરણો આપો.
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો :
$(a)$ પોટેશિયમ બ્રોમાઇડ$(aq)$ $+$ બૅરિયમ આયોડાઇડ(aq) $\to $ પોટેશિયમ આયોડાઇડ$(aq)$ $+$ બેરિયમ બ્રોમાઇડ$(aq)$
$(b)$ ઝિંક કાર્બોનેટ$(s)$ $\to $ ઝિંક ઑક્સાઇડ$(s)$ $+$ કાર્બન ડાયૉક્સાઇડ$(g)$
$(c)$ હાઇડ્રોજન$(g)$ $+$ ક્લોરિન$(g)$ $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ$(g)$
$(d)$ મૅગ્નેશિયમ$(s)$ $+$ હાઇડ્રોક્લોરિક ઍસિડ$(aq)$ $\to $ મૅગ્નેશિયમ ક્લોરાઇડ$(aq)$ $+$ હાઇડ્રોજન $(g) $