(N/A) સ્ટીફન-બોલ્ટ્ઝમેન ના નિયમ મુજબ,$T$ તાપમાને રહેલા આદર્શ કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર $P = A \sigma T^4$ છે,જ્યાં $A$ એ સપાટીનું ક્ષેત્રફળ છે,$\sigma$ એ સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંક છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે.
જ્યારે $T_1$ તાપમાન ધરાવતા પદાર્થને $T_2$ તાપમાન ધરાવતા વાતાવરણમાં રાખવામાં આવે $(T_1 > T_2)$,ત્યારે પદાર્થ $\frac{dQ_1}{dt} = A \sigma T_1^4$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને વાતાવરણમાંથી $\frac{dQ_2}{dt} = A \sigma T_2^4$ ના દરે ઉર્જાનું શોષણ કરે છે.
ઉષ્મા ઉત્સર્જનનો ચોખ્ખો દર એ ઉત્સર્જનના દર અને શોષણના દરનો તફાવત છે:
$\frac{dQ}{dt} = \frac{dQ_1}{dt} - \frac{dQ_2}{dt}$
સમીકરણો મૂકતા:
$\frac{dQ}{dt} = A \sigma T_1^4 - A \sigma T_2^4$
તેથી,ઉષ્મા ઉત્સર્જનનો ચોખ્ખો દર:
$\frac{dQ}{dt} = A \sigma (T_1^4 - T_2^4)$