કારકોની આવૃત્તિઓ વસતિમાં સતત રહે છે તે જણાવતો નિયમ કયો છે ? કયાં પાંચ પરિબળો આની કિંમતને અસર કર્તા નીવડે છે ?
પાંચ ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા તરીકે ઓળખી કાઢવામાં આવેલા છે. તેઓ જનીન સ્થળાંતરણ અથવા જનીનપ્રવાહ, જનીનિક વિચલન (drift), વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે. જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જમીનઆવૃત્તિ ફેરફાર પામે છે. નવા જનીનો / વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીનપ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે. કેટલીક વાર નવી વસ્તીનાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. મૂળભૂત વિચલિત (drifted) વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર (founder effect) કહે છે.
માપવામાં આવતી આવૃતિ અપેક્ષિત મુલ્યથી ભિન્ન હોય, તો તે શું દર્શાવે છે?
જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રચ્છન્ન વૈકલ્પિકકારક ઘરાવે, તો પ્રભાવી સભ્યોની આવૃતિ શોધો.
આકૃતિ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?
હાર્ડીં-વિનબર્ગ સમતુલનને અસર કરતાં પાંચ પરિબળોમાં ત્રણ પરિબળો જીનપ્રવાહ, જીનીટિક ડ્રિફટ અને જનીન પુનઃસંયોજન છે. બાકીનાં બે પરિબળો કયાં છે ?