મનુષ્યમાં લિંગ-નિશ્ચયન કેવી રીતે થાય છે?
મનુષ્યમાં લિંગ-નિશ્ચયન $XY$ પ્રકારનું હોય છે. કુલ $23$ જોડ રંગસૂત્રોમાંથી $22$ જોડ નર અને માદામાં બિલકુલ એકસમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્રો કહેવાય છે. માદામાં $X-$ રંગસૂત્રની એક જોડ હોય છે અને નરમાં $X-$ રંગસૂત્ર ઉપરાંત એક $Y-$ રંગસૂત્ર હોય છે જે નરનાં લક્ષણોને નિર્ધારિત કરે છે. નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ બને છે. કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાંથી $50 \%$ $X-$ રંગસૂત્રયુક્ત હોય છે અને $50 \%$ $Y$ યુક્ત હોય છે. તેની સાથે દૈહિક રંગસૂત્રો તો હોય છે જ. માદામાં માત્ર એક જ પ્રકારનો અંડકોષ બને છે, જેમાં $X-$ રંગસૂત્ર હોય છે. અંડકોષમાં $X$ અથવા $Y$ પ્રકારનાં રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી રહે છે. જો અંડકોષનું ફલન $X$ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજ (ફલિતાંડ) માદા $(XX)$ માં વિકસિત થશે અને જો $Y$ પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થવાથી નર સંતતિ જન્મ લે છે. આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ-નિશ્ચયન કરે છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના $50 \%$ હોય છે
$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.
$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો.
નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.
લિંગી રંગસૂત્રના સંદર્ભે બે ભિન્ન પ્રકારનાં જન્યુઓ શેનાં દ્વાર ઉત્પન્ન થાય છે ?
નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?
લિંગ નિશ્ચયનના પ્રારંભિક સંકત માટેના શરૂઆતના પ્રયોગ ........ પર કરવામાં આવેલ હતા.