મનુષ્યમાં લિંગ-નિશ્ચયન કેવી રીતે થાય છે?
મનુષ્યમાં લિંગ-નિશ્ચયન $XY$ પ્રકારનું હોય છે. કુલ $23$ જોડ રંગસૂત્રોમાંથી $22$ જોડ નર અને માદામાં બિલકુલ એકસમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્રો કહેવાય છે. માદામાં $X-$ રંગસૂત્રની એક જોડ હોય છે અને નરમાં $X-$ રંગસૂત્ર ઉપરાંત એક $Y-$ રંગસૂત્ર હોય છે જે નરનાં લક્ષણોને નિર્ધારિત કરે છે. નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ બને છે. કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાંથી $50 \%$ $X-$ રંગસૂત્રયુક્ત હોય છે અને $50 \%$ $Y$ યુક્ત હોય છે. તેની સાથે દૈહિક રંગસૂત્રો તો હોય છે જ. માદામાં માત્ર એક જ પ્રકારનો અંડકોષ બને છે, જેમાં $X-$ રંગસૂત્ર હોય છે. અંડકોષમાં $X$ અથવા $Y$ પ્રકારનાં રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી રહે છે. જો અંડકોષનું ફલન $X$ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજ (ફલિતાંડ) માદા $(XX)$ માં વિકસિત થશે અને જો $Y$ પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થવાથી નર સંતતિ જન્મ લે છે. આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ-નિશ્ચયન કરે છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના $50 \%$ હોય છે
એક કુટુંબ પાંચ છોકરી અને એકપણ છોકરો ધરાવતું નથી, તો છઠ્ઠા બાળકમાં છોકરાની થવાની શક્યતા કેટલી છે?
યોગ્ય જોડી ગોઠવો.
માનવમાં લિંગ નિશ્ચયન ........ દ્વારા નક્કી થાય છે.
નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા