(N/A) કોષરસ સ્તર એ કોષનું સૌથી બહારનું આવરણ છે જે તેને પર્યાવરણથી અલગ કરે છે. તે કોષમાં અને કોષની બહાર પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે. તે માત્ર અમુક પદાર્થોને પ્રવેશવા દે છે અને અન્ય પદાર્થોની અવરજવરને અટકાવે છે.
આથી,આ સ્તર પસંદગીયુક્ત પ્રવેશશીલ (selectively permeable) છે.
તટસ્થ દ્રાવ્યોનું વહન: તટસ્થ અણુઓ સાદા નિષ્ક્રિય પ્રસરણ (simple passive diffusion) દ્વારા કોષરસ સ્તરમાંથી પસાર થાય છે. પ્રસરણ એટલે અણુઓનું વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફનું વહન.
ધ્રુવીય અણુઓનું વહન: કોષરસ સ્તર ફોસ્ફોલિપિડ બાયલેયર અને પ્રોટીનનું બનેલું છે. અદ્રાવ્ય લિપિડ બાયલેયર દ્વારા ધ્રુવીય અણુઓના વહન માટે વાહક પ્રોટીન (carrier proteins) ની જરૂર પડે છે. વાહક પ્રોટીન એ અભિન્ન પ્રોટીન કણો છે જે ચોક્કસ દ્રાવ્યો માટે ચોક્કસ આકર્ષણ ધરાવે છે. પરિણામે,તેઓ કોષરસ સ્તર દ્વારા આ અણુઓના વહનને સરળ બનાવે છે.