(N/A) કાર્બોદિતોનું પાચન મુખગુહા અને નાના આંતરડામાં થાય છે. કાર્બોદિતો પર કાર્ય કરતા ઉત્સેચકોને સામૂહિક રીતે કાર્બોહાઈડ્રેઝ કહેવામાં આવે છે.
મુખગુહામાં પાચન:
ખોરાક મુખમાં પ્રવેશતા જ તે લાળ સાથે ભળે છે. લાળગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત લાળમાં લાળીય એમાયલેઝ નામનો ઉત્સેચક હોય છે. આ ઉત્સેચક $pH\, 6.8$ પર સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.
$Starch \xrightarrow[pH\, 6.8]{\text{Salivary amylase}} \text{Maltose} + \text{Isomaltose} + \text{Limit dextrins}$
લાળીય એમાયલેઝ અન્નનળીમાં કાર્ય કરવાનું ચાલુ રાખે છે,પરંતુ જઠરમાં એસિડિક વાતાવરણને કારણે તેની ક્રિયા અટકી જાય છે.
નાના આંતરડામાં પાચન:
નાના આંતરડામાં કાર્બોદિતોનું પાચન ફરી શરૂ થાય છે. સ્વાદુપિંડના રસમાં સ્વાદુપિંડીય એમાયલેઝ હોય છે,જે પોલિસેકેરાઈડ્સનું ડાયસેકેરાઈડ્સમાં જળવિભાજન કરે છે.
$Starch \xrightarrow{\text{Pancreatic amylase}} \text{Disaccharides}$
આંત્રરસમાં વિવિધ ડાયસેકેરાઈડેઝ (માલ્ટેઝ,લેક્ટેઝ,સુક્રેઝ,વગેરે) હોય છે જે ડાયસેકેરાઈડ્સનું મોનોસેકેરાઈડ્સમાં પાચન પૂર્ણ કરે છે:
$Maltose \xrightarrow{\text{Maltase}} 2 \text{ Glucose}$
$Lactose \xrightarrow{\text{Lactase}} \text{Glucose} + \text{Galactose}$
$Sucrose \xrightarrow{\text{Sucrase}} \text{Glucose} + \text{Fructose}$