(N/A) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નલિકાવિહીન ગ્રંથિઓ છે અને તેમના સ્ત્રાવને અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે.
અંતઃસ્ત્રાવની શાસ્ત્રીય વ્યાખ્યા એ છે કે તેઓ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે,રુધિરમાં મુક્ત થાય છે અને દૂર સ્થિત લક્ષ્ય અંગ સુધી પહોંચાડવામાં આવે છે.
વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા નીચે મુજબ છે - અંતઃસ્ત્રાવો એ બિન-પોષક રસાયણો છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.
આ નવી વ્યાખ્યા સંગઠિત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો ઉપરાંત ઘણા નવા અણુઓને પણ આવરી લે છે.
અમેરુદંડી પ્રાણીઓમાં ખૂબ જ સરળ અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે જેમાં થોડા અંતઃસ્ત્રાવો હોય છે,જ્યારે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં મોટી સંખ્યામાં રસાયણો અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે અને સંકલન પૂરું પાડે છે.