પરિવહન માર્ગોના ખુલ્લા અને બંધ પ્રકારો વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરિવહન માર્ગોના બે પ્રકારો અથવા ભાત છે: $(i)$ ખુલ્લું પરિવહન તંત્ર,$(ii)$ બંધ પરિવહન તંત્ર.
$(i)$ ખુલ્લું પરિવહન તંત્ર: આ પ્રકારના પરિવહન તંત્રમાં રુધિર આંશિક રીતે રુધિરવાહિનીઓ દ્વારા અને આંશિક રીતે રુધિર અવકાશ (sinuses) દ્વારા વહન પામે છે. આ પરિવહનમાં હૃદય રુધિરને રુધિરવાહિનીઓમાં પંપ કરે છે અને ત્યાંથી રુધિર શરીરની ગુહાઓમાં વહે છે જેને સાઇનસ કહેવાય છે. આ રુધિર અંતે હૃદયમાં પાછું આવે છે. તેમાં રુધિર કેશિકાઓ હોતી નથી.
આ પ્રકારનું પરિવહન તંત્ર સંધિપાદ (Arthropods) અને મૃદુકાય (Molluscs) પ્રાણીઓમાં જોવા મળે છે.
$(ii)$ બંધ પરિવહન તંત્ર: રુધિરનું પરિવહન હૃદય દ્વારા પંપ થઈને વિવિધ રુધિરવાહિનીઓમાં વહે છે. રુધિરવાહિનીઓ શરીરમાં એક જટિલ જાળું બનાવે છે. રુધિરના એકમાર્ગી વહન માટે વાલ્વ આવેલા હોય છે.
નૂપુરક (Annelids) અને મેરુદંડી (Chordates) પ્રાણીઓમાં બંધ પરિવહન તંત્ર હોય છે.
પરિવહન તંત્રની આ ભાત વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે પ્રવાહીના પ્રવાહને વધુ ચોકસાઈથી નિયંત્રિત કરી શકાય છે.

Explore More

Similar Questions

વિલિયમ હાર્વે શેની શોધ માટે જાણીતા છે?

દૈહિક પરિવહન (Systemic circulation) એટલે શું?

ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું?

ઉભયજીવીઓ અને સરીસૃપોમાં ડાબા કર્ણકમાં રુધિર ક્યાંથી આવે છે......

દૈહિક પરિવહન (Systemic circulation) પેશીઓને $A$ અને અન્ય આવશ્યક પદાર્થો પૂરા પાડે છે અને નિકાલ માટે $C$ તથા અન્ય હાનિકારક પદાર્થોને દૂર કરે છે। $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો।

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo