સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.
માખણ એ સંતૃપ્ત સંયોજનો ધરાવે છે જયારે રાંધવાનું તેલ અસંતૃપ્ત સંયોજનો ધરાવે છે.
પરંતુ અસંતૃપ્ત સંયોજનો એ આલ્કલાઇન $KMnO_4$ વડે ઑક્સિડેશન પામતા હોવાથી તે $KMnO_4$ નો જાંબલી રંગ દૂર કરી શકે છે.
કસોટી : જયારે રાંધવાના તેલની એક કસનળીમાં પ્રક્રિયા આલ્કલાઇન $KMnO_4$ ના દ્રાવણ સાથે કરવાથી $KMnO_4$ નો રંગ અદૃશ્ય થઈ જાય છે.
પરંતુ માખણ એ $KMnO_4$ નો રંગ દૂર કરી શકતું નથી.
$CO_2$ સૂત્ર ધરાવતા કાર્બન ડાયૉક્સાઇડનું ઇલેક્ટ્રૉન બિંદુ-નિરૂપણ શું થશે ?
જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે ? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે ?
પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે વિભૂદિત કરશો ?
શું તમે પ્રક્ષાલકનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહિ ?
ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?