સંક્રાંતિ શ્રેણીના તત્ત્વોની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ $(M)$ અને તેમના આયનોની ત્રિજ્યા નીચેના કોષ્ટક પ્રમાણે છે :

'સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમશ: ઘટાડો થતો જાય છે.'

કારણ કે જ્યારે પરમાણવીય ક્રમાંક (કેન્દ્રીય વીજભાર)માં વધારો થાય છે, ત્યારે નવો ઈલેક્ટ્રૉન દર વખતે $d$ - કક્ષકમમં દાખલ થાય છે. ' $d$ - ઈલેક્ટ્રોનની શીલ્ડીંગ અસર ઓછી અસરકારક છે. જેથી જેમ કેન્દ્રિય વીજભાર વધે છે. તેમ આ કેન્દ્રિય વીજભાર અને બાઈ્યતમ ઈલેક્ટ્રોનની વચ્ચેનો ચોખ્ખો (પરિણામી) સ્થિર વિદ્યુત આકર્ષણબળોમાં વધારો થતો જાય છે. તેથી આયનીય ત્રિજ્યા ઘટતી જાય છે.'

સંક્રાંતિ શ્રેણીની બધી જ શ્રેણીમાં પરમાણ્વીયક્રમાંક વધે તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે, જો કે આ ઘટાડો બહુ જ થોડો હોય છે.

$(b)$ $3 d$ કરતાં $4 d$ નાં કદ મોટા પણ $4 d$ અને $5 d$ નાં લગભગ સમાન : પ્રથમ સંક્રાંતિ શ્રેણી (3d)ના તત્ત્વોની સરખામણીમાં દ્રિતીય સંક્રાંતિ શ્રેણી $(4d)$નાં તત્ત્વોનાં પરમાણવીય કદ મોટાં (વધારે) હોય છે, પણ તૃતીય સંક્રાંતિ શ્રેણી $(5 d)$ નાં તત્ત્વોનાં પરમાણ્વીય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી $(4d)$નાં અનુવર્તી સભ્યોના પરમાણ્વીય કદના જેટલા જ હોય છે.કદ : $3 d<4 d \approx 5 d$.

કારણ કે $4 f$ કક્ષકો નડતરરૂપ બને છે. $4 f$ કક્ષકો $5 d$ શ્રેણીનાં તત્ત્વોની શરૂઆતના પહેલાં ભરાય છે. આ લેન્થેનોઈડ સંકોચન થાય છે.

932-s75g

Similar Questions

સંક્રાંતિ  ધાતુઓની લાક્ષણિકતા કઈ નથી

નીચેના પૈકી કયા સંયોજનના સંક્રાંતિ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા $4.90\,BM$ છે

ઘણી સંક્રાંતિ ધાતુઓ આંતરાલીય સંયોજનો બનાવે છે. આ આંતરાલીય સંયોજનોની લાક્ષણિકતાઓ છે

$(I)$ તેમની પાસે ઉંચા ગલનબિંદુઓ છે, જે શુદ્ધ ધાતુઓ કરતા વધારે છે

$(II)$ તેઓ ખૂબ સખત હોય છે

$(III)$ તેઓ ધાતુની વાહકતા જાળવી રાખે છે

$(IV)$ શુદ્ધ ધાતુઓ કરતાં તેઓ રાસાયણિક રીતે વધુ પ્રતિક્રિયાશીલ હોય છે

સંક્રાંતિ ધાતુના ક્ષારના જલીય દ્રાવણ ગુલાબીથી વાદળી રંગમાં રંગ બદલાય છે, જ્યારે તેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. રંગમાં ફેરફાર થવાના કારણે ક્યા છે?

જર્મન સિલ્વર મિશ્ર ધાતુના ઘટકો....