(N/A) $\rightarrow$ દ્વિદળી મૂળમાં,વાહિએધા સંપૂર્ણપણે દ્વિતીયક ઉદ્ભવ ધરાવે છે. તે અન્નવાહક પુલની બરાબર નીચે આવેલા પેશીઓ અને આદિદારુની ઉપર આવેલા પરિચક્રના ભાગમાંથી ઉદ્ભવે છે,જે એક સંપૂર્ણ અને સતત તરંગિત વલય બનાવે છે,જે પાછળથી ગોળાકાર બની જાય છે.
$\rightarrow$ આગળની ઘટનાઓ દ્વિદળી પ્રકાંડ માટે વર્ણવેલ ઘટનાઓ જેવી જ હોય છે. એધા વલય સક્રિય બને છે અને અંદરની અને બહારની બંને બાજુએ નવા કોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. કેન્દ્ર તરફ ઉત્પન્ન થયેલા કોષો દ્વિતીયક જલવાહક તરીકે પરિપક્વ થાય છે અને પરિઘ તરફ ઉત્પન્ન થયેલા કોષો દ્વિતીયક અન્નવાહક તરીકે પરિપક્વ થાય છે. એધા સામાન્ય રીતે બહારની બાજુ કરતા અંદરની બાજુએ વધુ સક્રિય હોય છે. પરિણામે,દ્વિતીયક અન્નવાહક કરતા દ્વિતીયક જલવાહકનું પ્રમાણ વધુ હોય છે અને તે ટૂંક સમયમાં એક ઘટ્ટ જથ્થો બનાવે છે.