(N/A) પરાવર્તન: જ્યારે તરંગ કોઈ સીમા સુધી પહોંચે અને બીજું માધ્યમ દ્રઢ હોય,ત્યારે તરંગ પાછું પ્રથમ માધ્યમમાં ફરે છે. આ ઘટનાને તરંગનું પરાવર્તન કહેવાય છે. આપાત તરંગ અને પરાવર્તિત તરંગ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે (આપાતકોણ = પરાવર્તનકોણ).
વક્રીભવન: જ્યારે તરંગ બે અલગ-અલગ સ્થિતિસ્થાપક માધ્યમો વચ્ચેની આંતર સપાટી પર પહોંચે છે,ત્યારે તરંગનો અમુક ભાગ પરાવર્તિત થાય છે અને અમુક ભાગ બીજા માધ્યમમાં પ્રસારિત થાય છે. જો તરંગ સીમા પર ત્રાંસું આપાત થાય,તો પ્રસારિત તરંગ તેની દિશા બદલે છે. આ ઘટનાને તરંગનું વક્રીભવન કહેવાય છે. આપાત અને વક્રીભૂત તરંગો સ્નેલના વક્રીભવનના નિયમનું પાલન કરે છે: $\frac{\sin i}{\sin r} = \frac{v_1}{v_2}$,જ્યાં $v_1$ અને $v_2$ એ અનુક્રમે પ્રથમ અને બીજા માધ્યમમાં તરંગની ઝડપ છે.