(N/A) અળસિયામાં ઉત્સર્ગ અંગો ખંડીય રીતે ગોઠવાયેલી ગૂંચળાદાર નલિકાઓ સ્વરૂપે હોય છે,જેને ઉત્સર્ગિકાઓ (nephridia) કહે છે. તે ત્રણ પ્રકારની હોય છે:
$(i)$ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ: તે $4$,$5$ અને $6$ માં ખંડમાં આવેલી હોય છે.
(ii) ત્વચીય ઉત્સર્ગિકાઓ: આ ઉત્સર્ગિકાઓ $3$ થી છેલ્લા ખંડ સુધી શરીરની દીવાલની અસ્તર સાથે જોડાયેલી હોય છે,જે શરીરની સપાટી પર ખુલે છે.
(iii) વિભાજક ઉત્સર્ગિકાઓ: તે $15$ થી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય પટલની બંને બાજુએ હાજર હોય છે,જે આંતરડામાં ખુલે છે.
પ્રથમ બે ખંડોમાં કોઈ ઉત્સર્ગિકાઓ હોતી નથી.
ત્વચીય ઉત્સર્ગિકાઓ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની દીવાલ પર મુક્ત કરે છે. આ પ્રકારના ઉત્સર્જનને બાહ્ય ઉત્સર્જન (exonephric excretion) કહેવામાં આવે છે.
કંઠનાલીય અને વિભાજક ઉત્સર્ગિકાઓ ઉત્સર્ગ દ્રવ્યોને પાચનમાર્ગ (મુખગુહા અને આંતરડું) માં ઠાલવે છે. આ પ્રકારના ઉત્સર્જનને આંતરિક ઉત્સર્જન (enteronephric excretion) કહેવામાં આવે છે.
આ વિવિધ પ્રકારની ઉત્સર્ગિકાઓ મૂળભૂત રીતે રચનામાં સમાન હોય છે. ઉત્સર્ગિકાઓ શરીરના પ્રવાહીનું કદ અને બંધારણનું નિયમન કરે છે.
એક ઉત્સર્ગિકા ગળણી (funnel) તરીકે શરૂ થાય છે જે દેહકોષ્ઠીય કોટરમાંથી વધારાનું પ્રવાહી એકત્રિત કરે છે. ગળણી ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાય છે,જે નકામા પદાર્થોને છિદ્ર દ્વારા શરીરની દીવાલની સપાટી પર અથવા પાચન નળીમાં પહોંચાડે છે.