(N/A) દરેક તત્વ તેના તાપમાનના આધારે અલગ-અલગ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત કરે છે. તેથી,દરેક તત્વ પાસે તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે.
જ્યારે કોઈ પરમાણ્વીય વાયુ કે બાષ્પને નીચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં માત્ર અમુક ચોક્કસ તરંગલંબાઈઓ જ જોવા મળે છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખા વર્ણપટ કહેવામાં આવે છે.
પરમાણ્વીય હાઇડ્રોજનનો ઉત્સર્જન રેખા વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે.
કોઈપણ વાયુના ઉત્સર્જન રેખા વર્ણપટનો અભ્યાસ તે વાયુને ઓળખવા માટે કરવામાં આવે છે.
જ્યારે શ્વેત પ્રકાશ કોઈ વાયુમાંથી પસાર થાય છે,ત્યારે આપણે જોઈએ છીએ કે પારગમિત પ્રકાશમાં અમુક ચોક્કસ તરંગલંબાઈઓ ગેરહાજર હોય છે,જે તે પરમાણુની લાક્ષણિકતા છે. આમ,પારગમિત પ્રકાશના વર્ણપટમાં કેટલીક કાળી રેખાઓ દેખાય છે. આ કાળી રેખાઓ દ્વારા બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો શોષણ વર્ણપટ કહેવામાં આવે છે.