(N/A) કલિલમય કણો પરના વીજભારનું અસ્તિત્વ વિદ્યુતકણ સંચલનના પ્રયોગ દ્વારા સાબિત થાય છે. જ્યારે કલિલમય દ્રાવણમાં ડૂબેલા બે પ્લેટિનમ વિદ્યુતધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ કરવામાં આવે છે,ત્યારે કલિલમય કણો કોઈ એક વિદ્યુતધ્રુવ તરફ ગતિ કરે છે. લાગુ કરેલા વિદ્યુત સ્થિતિમાન હેઠળ કલિલમય કણોની આ ગતિને વિદ્યુતકણ સંચલન કહેવામાં આવે છે.
ધન વીજભારિત કણો કેથોડ તરફ ગતિ કરે છે,જ્યારે ઋણ વીજભારિત કણો એનોડ તરફ ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રાયોગિક ગોઠવણી દ્વારા આ સમજાવી શકાય છે.
જ્યારે વિદ્યુતકણ સંચલન એટલે કે કણોની ગતિને કોઈ યોગ્ય માધ્યમ દ્વારા અટકાવવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે પરિક્ષેપન માધ્યમ વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરવાનું શરૂ કરે છે. આ ઘટનાને વિદ્યુત આસૃતિ (Electroosmosis) કહેવામાં આવે છે.