(N/A) રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા અથવા ઘટાડવા માટે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ઉદ્દીપક સંતુલન પર અસર કરતું નથી. ઉદ્દીપક દ્વારા $K$ નું મૂલ્ય બદલાતું નથી. ઉદ્દીપક સંતુલન પ્રક્રિયામાં અથવા સંતુલન અચળાંકના સમીકરણમાં જોવા મળતું નથી.
ઉદ્દીપકની અસર:
$(i)$ ઉદ્દીપક પ્રક્રિયકોમાંથી નીપજોમાં રૂપાંતર માટે નવો ઓછી ઉર્જા ધરાવતો માર્ગ પૂરો પાડીને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે.
$(ii)$ તે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓનો વેગ સમાન રીતે વધારે છે,તેથી સંતુલન પર કોઈ અસર થતી નથી.
$(iii)$ ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઉર્જામાં સમાન ઘટાડો કરે છે.
ઉદાહરણ $1$: $N_{2}$ અને $H_{2}$ માંથી $NH_{3}$ બનાવવાની હેબર પદ્ધતિ:
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. નીચા તાપમાને પ્રક્રિયાનો વેગ ખૂબ ધીમો હોય છે. ફ્રિટ્ઝ હેબરે શોધ્યું કે આયર્ન ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી $500 \ ^\circ C$ તાપમાને પ્રક્રિયા સંતોષકારક વેગથી થાય છે,જ્યાં $NH_{3}$ ની સંતુલન સાંદ્રતા અનુકૂળ હોય છે.
ઉદાહરણ $2$: સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ:
$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$,$K_{c} = 1.7 \times 10^{26}$
જોકે $K_{c}$ નું મોટું મૂલ્ય સૂચવે છે કે પ્રક્રિયા પૂર્ણતા તરફ જાય છે,પરંતુ $SO_{2}$ નું $SO_{3}$ માં ઓક્સિડેશન ખૂબ ધીમું છે. તેથી,પ્રક્રિયાનો વેગ વધારવા માટે પ્લેટિનમ અથવા વેનેડિયમ$(V)$ ઓક્સાઇડ $(V_{2}O_{5})$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે.