ગતિઘર્ષણ (kinetic friction) સમજાવો. ગતિઘર્ષણના નિયમો લખો. ગતિઘર્ષણાંકની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ સ્થિતઘર્ષણ બળ કરતાં વધી જાય,ત્યારે પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આથી,ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિતઘર્ષણ બળ કરતાં ઘટી જાય છે.
સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિઘર્ષણ કહે છે. તેને $f_{k}$ વડે દર્શાવવામાં આવે છે.
ગતિઘર્ષણના નિયમો:
$(1)$ ગતિઘર્ષણ સપાટીઓના સંપર્ક ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી.
$(2)$ ગતિઘર્ષણ બળ ગતિ કરતા પદાર્થના સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી.
$(3)$ ગતિઘર્ષણ બળ લંબબળ (normal force) ના સમપ્રમાણમાં હોય છે.
$\therefore f_{k} \propto N$
$\therefore f_{k} = \mu_{k} N$
જ્યાં $\mu_{k} = \text{ગતિઘર્ષણાંક}$,$\mu_{k} = \frac{f_{k}}{N}$.
ગતિઘર્ષણાંક: ગતિઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને ગતિઘર્ષણાંક કહે છે.
$f_{s} > f_{k}$ હોવાથી $\mu_{s} > \mu_{k}$ થાય છે. એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય,ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થનો પ્રવેગ $a = \frac{F - f_{k}}{m}$ થાય છે.
જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય,તો $F = f_{k}$ થાય.
જો લાગુ પાડેલ બાહ્ય બળ શૂન્ય કરવામાં આવે,તો પદાર્થનો પ્રવેગ $-\frac{f_{k}}{m}$ થશે. તેથી,તે થોડું અંતર કાપ્યા પછી અટકી જશે.

Explore More

Similar Questions

$64 \ N$ વજન ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરાવવા માટે પૂરતું બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ પણ તે જ બળ સતત લાગતું રહે છે. જો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.8$ અને $0.6$ હોય,તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

એક ખરબચડી આડી સપાટી પર,$2 \, kg$ દળના પદાર્થને $10 \, m/s$ નો વેગ આપવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.2$ અને $g = 10 \, m/s^2$ હોય,તો પદાર્થ કેટલું અંતર કાપ્યા પછી અટકી જશે? ........ $m$.

$5\, kg$ દળનો એક બ્લોક ખરબચડા આડા ભોંયતળિયા પર રાખેલ છે. તેને જમણી તરફ $33\, m/s$ નો વેગ આપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $20\sqrt{2}\, N$ નું બળ બ્લોક પર સતત લાગે છે. જો બ્લોક અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય, તો $3\, \text{સેકન્ડ}$ પછી બ્લોકનો વેગ ........ $m/s$ થશે $(g = 10\, m/s^2)$.

$10\,kg$ દળનો એક નળાકાર $10\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે સપાટી પર સરકી રહ્યો છે. જો સપાટી અને નળાકાર વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો અટકતા પહેલા તે ............. $m$ અંતર કાપશે.

$2 \,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F=90 \,N$ બળ વડે દીવાલ પર દબાવવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.25$ હોય, તો બ્લોકના પ્રવેગનું મૂલ્ય શોધો ($g=10 \,ms^{-2}$, $\sin 37^{\circ}=\frac{3}{5}$ લો). ($\,ms^{-2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo