(N/A) જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ સ્થિતઘર્ષણ બળ કરતાં વધી જાય,ત્યારે પદાર્થ બાહ્ય બળની દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આથી,ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિતઘર્ષણ બળ કરતાં ઘટી જાય છે.
સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિઘર્ષણ કહે છે. તેને $f_{k}$ વડે દર્શાવવામાં આવે છે.
ગતિઘર્ષણના નિયમો:
$(1)$ ગતિઘર્ષણ સપાટીઓના સંપર્ક ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી.
$(2)$ ગતિઘર્ષણ બળ ગતિ કરતા પદાર્થના સાપેક્ષ વેગ પર આધાર રાખતું નથી.
$(3)$ ગતિઘર્ષણ બળ લંબબળ (normal force) ના સમપ્રમાણમાં હોય છે.
$\therefore f_{k} \propto N$
$\therefore f_{k} = \mu_{k} N$
જ્યાં $\mu_{k} = \text{ગતિઘર્ષણાંક}$,$\mu_{k} = \frac{f_{k}}{N}$.
ગતિઘર્ષણાંક: ગતિઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને ગતિઘર્ષણાંક કહે છે.
$f_{s} > f_{k}$ હોવાથી $\mu_{s} > \mu_{k}$ થાય છે. એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય,ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થનો પ્રવેગ $a = \frac{F - f_{k}}{m}$ થાય છે.
જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય,તો $F = f_{k}$ થાય.
જો લાગુ પાડેલ બાહ્ય બળ શૂન્ય કરવામાં આવે,તો પદાર્થનો પ્રવેગ $-\frac{f_{k}}{m}$ થશે. તેથી,તે થોડું અંતર કાપ્યા પછી અટકી જશે.