(N/A) $K_{sp}$: ચોક્કસ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કહે છે.
ઉદાહરણ: $BaSO_{4(s)} \rightleftharpoons Ba^{2+}_{(aq)} + S{O_{4}}^{2-}_{(aq)}$
$K_{sp} = [Ba^{2+}] [SO_{4}^{2-}] \quad \dots (Eq.-I)$
$Q_{sp}$: જ્યારે અલ્પ દ્રાવ્ય ક્ષારના આયનો ધરાવતા બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે,ત્યારે કોઈપણ સમયે આ આયનોની સાંદ્રતાના ગુણાકારને આયનિક ગુણાકાર $(Q_{sp})$ કહે છે.
ઉદાહરણ: જ્યારે $0.1 \ M \ Ba(NO_{3})_{2}$ ને $0.05 \ M \ H_{2}SO_{4}$ સાથે મિશ્ર કરવામાં આવે,ત્યારે $Ba^{2+}$ અને $SO_{4}^{2-}$ ની સાંદ્રતાનો ગુણાકાર એ આયનિક ગુણાકાર $(Q_{sp})$ છે.
$Q_{sp}(BaSO_{4}) = [Ba^{2+}] [SO_{4}^{2-}] \quad \dots (Eq.-II)$
$K_{sp}$ અને $Q_{sp}$ વચ્ચેનો સંબંધ:
$1$. જો $Q_{sp} = K_{sp}$,તો દ્રાવણ સંતૃપ્ત છે અને સંતુલન સ્થપાયેલું છે.
$2$. જો $Q_{sp} < K_{sp}$,તો દ્રાવણ અસંતૃપ્ત છે અને અવક્ષેપન થશે નહીં.
$3$. જો $Q_{sp} > K_{sp}$,તો દ્રાવણ અતિસંતૃપ્ત છે અને અવક્ષેપન થશે.
આમ,$Q_{sp}$ અને $K_{sp}$ ના મૂલ્યોની સરખામણી કરીને અવક્ષેપન થશે કે નહીં તે જાણી શકાય છે.