(A) $\Rightarrow$ કોષરસસ્તરનું સૌથી મહત્વનું કાર્ય તેની આરપાર અણુઓનું વહન કરવાનું છે.
$\Rightarrow$ આ પટલ તેની બંને બાજુએ રહેલા કેટલાક અણુઓ માટે પસંદગીમાન પ્રવેશશીલ છે.
$\Rightarrow$ ઘણા અણુઓ કોઈપણ ઉર્જાની જરૂરિયાત વગર પટલની આરપાર ગતિ કરી શકે છે અને આને નિષ્ક્રિય વહન (passive transport) કહેવામાં આવે છે.
$\Rightarrow$ તટસ્થ દ્રાવ્યો સાંદ્રતા ઢાળને અનુસરીને,એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ સાદા પ્રસરણની પ્રક્રિયા દ્વારા પટલની આરપાર ગતિ કરી શકે છે. પાણી પણ આ પટલની આરપાર વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરી શકે છે. પ્રસરણ દ્વારા પાણીની ગતિને આસૃતિ (osmosis) કહેવામાં આવે છે.
$\Rightarrow$ ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડ દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી,તેથી તેમને પટલની આરપાર વહન કરવા માટે પટલના વાહક પ્રોટીનની જરૂર પડે છે.
$\Rightarrow$ કેટલાક આયનો અથવા અણુઓનું વહન તેમના સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં,એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે. આવા વહનને સક્રિય વહન (active transport) કહેવામાં આવે છે,જે ઉર્જા આધારિત પ્રક્રિયા છે જેમાં $ATP$ નો ઉપયોગ થાય છે,ઉદાહરણ તરીકે,$Na^{+}/K^{+}$ પંપ.