(N/A) વ્યાખ્યા: સજીવો દ્વારા નાઈટ્રોજનનું એમોનિયામાં રિડક્શન કરવાની પ્રક્રિયાને જૈવિક નાઈટ્રોજન સ્થાપન કહેવામાં આવે છે.
સમજૂતી: હવામાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ $N_{2}$ સ્વરૂપના નાઈટ્રોજનનો ઉપયોગ ખૂબ ઓછા સજીવો કરી શકે છે.
માત્ર અમુક પ્રોકેરિયોટિક જાતિઓ જ નાઈટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે. આમ,નાઈટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થાય છે. આ પ્રક્રિયા ફક્ત પ્રોકેરિયોટિક સજીવોમાં જ જોવા મળે છે. આ સૂક્ષ્મજીવોને $N_{2}$ સ્થાપકો કહેવામાં આવે છે.
$N \equiv N \xrightarrow{\text{નાઈટ્રોજિનેઝ}} NH_{3}$
નાઈટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મજીવો મુક્તજીવી અથવા સહજીવી હોઈ શકે છે. મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપન કરતા જારક સૂક્ષ્મજીવોના ઉદાહરણો $Azotobacter$ અને $Beijerinckia$ છે. જ્યારે $Rhodospirillum$ અજારક છે અને $Bacillus$ મુક્તજીવી છે.
ઘણા સાયનોબેક્ટેરિયા જેવા કે $Anabaena$ અને $Nostoc$ પણ મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપકો છે.
સહજીવી જૈવિક નાઈટ્રોજન સ્થાપન: સહજીવી જૈવિક નાઈટ્રોજન સ્થાપન કરતા અનેક પ્રકારના જોડાણો જાણીતા છે. તેમાં સૌથી મુખ્ય કઠોળ-બેક્ટેરિયાનો સંબંધ છે.
દંડ આકારના $Rhizobium$ ની જાતિઓ અલ્ફાલ્ફા,સ્વીટ ક્લોવર,સ્વીટ પી,મસૂર,વટાણા,વાલ,ક્લોવર બીન્સ વગેરે જેવા અનેક કઠોળના મૂળ સાથે આવો સંબંધ ધરાવે છે.
મૂળ પર સૌથી સામાન્ય જોડાણ મૂળગંડિકાઓ (nodules) સ્વરૂપે હોય છે. આ મૂળગંડિકાઓ મૂળ પરની નાની વૃદ્ધિ છે. $Frankia$ નામનો સૂક્ષ્મજીવ બિન-કઠોળ વનસ્પતિઓના (દા.ત.,$Alnus$) મૂળ પર પણ નાઈટ્રોજન સ્થાપન કરતી મૂળગંડિકાઓ ઉત્પન્ન કરે છે.
$Rhizobium$ અને $Frankia$ બંને જમીનમાં મુક્તજીવી છે,પરંતુ સહજીવી તરીકે તેઓ વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે.