(N/A) $(1)$ વાયુકોષ્ઠની સપાટી દ્વારા વાયુઓનું વિનિમય:
વાયુકોષ્ઠ સુધી પહોંચતા અશુદ્ધ રુધિરમાં $O_{2}$ નું આંશિક દબાણ $(pO_{2})$ $40 \ mm \ Hg$ હોય છે અને $CO_{2}$ નું આંશિક દબાણ $(pCO_{2})$ $45 \ mm \ Hg$ હોય છે.
વાયુકોષ્ઠમાં $O_{2}$ નું આંશિક દબાણ $104 \ mm \ Hg$ અને $pCO_{2}$ નું આંશિક દબાણ $40 \ mm \ Hg$ હોય છે.
આ દબાણના તફાવતને કારણે,$O_{2}$ વાયુકોષ્ઠમાંથી રુધિરમાં પ્રસરણ પામે છે અને $CO_{2}$ રુધિરમાંથી વાયુકોષ્ઠમાં પ્રસરણ પામે છે.
$(2)$ પેશીઓમાં વાયુઓનું વિનિમય:
પેશીઓમાં વાયુઓનું વિનિમય રુધિર અને પેશી કોષો વચ્ચે આંતરકોષીય પ્રવાહી (પેશીય પ્રવાહી) દ્વારા થાય છે.
પેશીઓ સુધી પહોંચતા ઓક્સિજનયુક્ત રુધિરમાં $pO_{2}$ $95-100 \ mm \ Hg$ હોય છે,જ્યારે પેશી કોષોમાં $pO_{2}$ $40 \ mm \ Hg$ હોય છે.
પેશીઓમાં $pCO_{2}$ $45 \ mm \ Hg$ હોય છે,જ્યારે રુધિરમાં $pCO_{2}$ $40 \ mm \ Hg$ હોય છે.
આ આંશિક દબાણના તફાવતને કારણે,$O_{2}$ રુધિરમાંથી પેશીઓમાં અને $CO_{2}$ પેશીઓમાંથી રુધિરમાં પ્રસરણ પામે છે.