નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેનાં તબક્કાની સૂચિ બનાવો. કાકડીના છોડમાં પુંકેસર દૂર કરવાની જરૂર પડશે ? તમારા જવાબ માટેનાં કારણો જણાવો.
નિયંત્રિત ક્રૉસ પરાગનયન માટેના તબક્કા નીચે પ્રમાણે છે :
$(i)$ ઇચ્છિત લક્ષણો ધરાવતાં પિતૃની પસંદગી
$(ii)$ વંધ્યીકરણ. દા.ત., જો માદા પિતૃમાં દ્વિલિંગી પુષ્પો હોય તો સ્ફોટન પહેલા પુંકેસરને ફોરસેપથી દૂર કરવા.
$(iii)$ કોથળી બાંધવી. દા.ત., વંધ્યીકૃત પુષ્પને યોગ્ય કદની કોથળીથી (સામાન્ય રીતે બટર પેપરથી) આવૃત્ત કરવા જેથી પરાગાસન અનિચ્છિત પરાગરજથી પ્રદૂષિત ના થાય.
$(iv)$ જયારે કોથળી ચઢાવેલ પુષ્પનું પરાગાસન પ્રવેશશીલતા યોગ્ય બને ત્યારે નર પિતૃમાંથી એકત્ર કરાયેલ પરાગરજનો છંટકાવ.
$(v)$ ફરી પુષ્પને કોથળી ચઢાવી, ફળના નિર્માણને થવા દેવું. કાકડીના છોડમાં હંમેશાં વંધ્યીકરણની જરૂર હોતી નથી. તેની જરૂર દ્વિલિંગી પુષ્પમાં સ્વ-પરાગનયન રોકવા માટે હોય છે. કાકડીમાં સામાન્ય રીતે એકલિંગી પણ ક્યારેક દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન થતાં હોય છે, છે.
કઈ વનસ્પતિમાં ભ્રુણપોષ બીજાકુંરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે?
જો આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ માં રંગસૂત્રોની સંખ્યા $30$ હોય, તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?
ભ્રૂણપોષપેશીનો પ્રથમ કોષ છે.
$PEN$ માં વારંવાર વિભાજનથી શું નિર્માણ પામે છે?
ભ્રૂણપોષનું નિર્માણ શેમાંથી થાય છે?