અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (Oogenesis) કહે છે.

અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (Gogonia - આદિ પૂર્વ અંડકોષ) નિર્માણ પામે છે.

જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.

પ્રાથમિક પૂર્વ અંડકોષો $:$ આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અદ્ધિકરણની પૂર્વાવસ્થા -1માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે.

પ્રાથમિક પુટિકાઓ $:$ દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, તેને પ્રાથમિક પુટિકા (Primary follicle) કહે છે.

મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત $60,000 - 80,000$ પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.

દ્વિતીયક પુટિકાઓ $:$ પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ)થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.

તૃતીયક પુટિકા $:$ દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંતઃઆવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે.

હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે. પરિણામે મોટા કદનું એક દ્વિતીયક પૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે.

દ્વિતીયક પૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.

તૃતીયક પુટિકા હવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા (graafian follicle)માં ફેરવાય છે.

દ્વિતીયક પૂર્વઅંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા (zone pellucida) કહે છે.

965-s38g

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 

અંડકોષજનન એટલે શું? અંડકોષજનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો.

દ્વિતીય પૂર્વ શુક્રકોષના વિભાજન દ્વારા પ્રશુક્રકોષો બનવા માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ? 

શુક્રકોષ એ અંડકોષ કરતાં શેની હાજરીને લીધે જુદા પડે છે ?

ધ્રુવકાયનું નિર્માણ શેના નિર્માણ દરમિયાન થાય છે ?