પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુદરતમાં પરાગનયનથી પરાગરજ એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર જ સ્થળાંતરિત થાય તેની કોઈ ખાતરી હોતી નથી. સંગત પરાગરજ હોતી નથી.

ઘણીવાર, પરાગરજ કાંતો બીજી જાતિઓની હોય અથવા એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. સ્વ-અસંગત પરાગરજ કરે છે.

સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી (સંગત પરાગરજ) કે અસ્વીકાર કરવો (અસંગત પરાગરજ) તેને ઓળખવાની ક્ષમતા હોય છે.

જો પરાગરજ અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને સ્વીકારે છે અને પશ્વ પરાગનયનની ઘટનાઓને પ્રોત્સાહિત કરે છે. જેને કારણે ફલન થાય છે.

જો પરાગરજ સ્વયં અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને અસ્વીકૃત કરે છે. જેથી પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી.

સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગરજમાં આવેલાં રાસાયણિક ઘટકો પરાગરજની દીવાલ અને તેમાં આવેલાં પ્રોટીન ઘટકો અને મુક્ત થતાં વિવિધ જલવિઘટિત ઉન્સેચકો ઉપર છે.

તાજેતરના વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રીઓ, કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરનાં રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે.

સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર જનનછિદ્રો દ્વારા પરાગનલિકા ઉત્પન્ન કરે છે.

પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામે છે.

Similar Questions

બે કોષો ધરાવતી પરાગરજનો જનનકોષ પરાગનલિકામાં વિભાજન પામે છે. પરંતુ ત્રિકોષીય પરાગરજમાં વિભાજિત પામતાં નથી. કારણો આપો. 

પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

જો પરાગરજ સંગત હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકારી અને શું પ્રેરે છે?

નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.