પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.
કુદરતમાં પરાગનયનથી પરાગરજ એ જ જાતિના સ્ત્રીકેસર ઉપર જ સ્થળાંતરિત થાય તેની કોઈ ખાતરી હોતી નથી. સંગત પરાગરજ હોતી નથી.
ઘણીવાર, પરાગરજ કાંતો બીજી જાતિઓની હોય અથવા એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. સ્વ-અસંગત પરાગરજ કરે છે.
સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવી (સંગત પરાગરજ) કે અસ્વીકાર કરવો (અસંગત પરાગરજ) તેને ઓળખવાની ક્ષમતા હોય છે.
જો પરાગરજ અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને સ્વીકારે છે અને પશ્વ પરાગનયનની ઘટનાઓને પ્રોત્સાહિત કરે છે. જેને કારણે ફલન થાય છે.
જો પરાગરજ સ્વયં અસંગત હોય તો, સ્ત્રીકેસર પરાગરજને અસ્વીકૃત કરે છે. જેથી પરાગરજનું અંકુરણ પરાગાસન પર થતું નથી.
સ્ત્રીકેસરની પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર પરાગરજમાં આવેલાં રાસાયણિક ઘટકો પરાગરજની દીવાલ અને તેમાં આવેલાં પ્રોટીન ઘટકો અને મુક્ત થતાં વિવિધ જલવિઘટિત ઉન્સેચકો ઉપર છે.
તાજેતરના વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રીઓ, કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરનાં રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે.
સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર જનનછિદ્રો દ્વારા પરાગનલિકા ઉત્પન્ન કરે છે.
પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામે છે.
પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?
આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?
નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.
સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.
જો પરાગરજ સંગત હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકારી અને શું પ્રેરે છે?