(N/A) જાયાંગ એ પુષ્પનો માદા પ્રજનન ભાગ છે.
જાયાંગ એક સ્ત્રીકેસર ધરાવતું (એકસ્ત્રીકેસરી) અથવા એકથી વધુ સ્ત્રીકેસર ધરાવતું (બહુસ્ત્રીકેસરી) હોઈ શકે છે.
જ્યારે એકથી વધુ સ્ત્રીકેસર હોય,ત્યારે તેઓ એકબીજા સાથે જોડાયેલા (યુક્તસ્ત્રીકેસરી) અથવા મુક્ત (મુક્તસ્ત્રીકેસરી) હોઈ શકે છે.
દરેક સ્ત્રીકેસરના ત્રણ ભાગ હોય છે: પરાગાસન,પરાગવાહિની અને બીજાશય.
પરાગાસન: પરાગાસન એ પરાગરજ માટે ગ્રહણ મંચ તરીકે કાર્ય કરે છે.
પરાગવાહિની: પરાગવાહિની એ પરાગાસનની નીચેનો લંબાયેલો પાતળો ભાગ છે.
બીજાશય: સ્ત્રીકેસરનો નીચેનો ફૂલેલો ભાગ એ બીજાશય છે.
જરાયુ: તે બીજાશયના પોલાણની અંદર આવેલું હોય છે. જરાયુમાંથી મહાબીજાણુધાનીઓ ઉદ્ભવે છે,જેને સામાન્ય રીતે અંડક કહેવામાં આવે છે. બીજાશયમાં અંડકની સંખ્યા એક (દા.ત.,ઘઉં,ડાંગર,કેરી) થી લઈને ઘણી બધી (દા.ત.,પપૈયું,તરબૂચ,ઓર્કિડ) હોઈ શકે છે.