જાયાંગ (સ્ત્રીકેસર) વિશે વર્ણવો.
જાયાંગ (સ્ત્રીકેસરચક્ર) એ પુષ્પનું માદા પ્રજનનાંગ છે.
સ્ત્રીકેસરચક્ર એક જ સ્ત્રીકેસર (એક-સ્ત્રીકેસરી) અથવા ઘણી સ્ત્રીકેસર (બહુસ્ત્રીકેસરી) (multicarpallary) ધરાવે છે.
સ્ત્રીકેસર એક જ સ્ત્રીકેસર ધરાવતું હોય (ઉદા. વટાણાનું પુણ્ય) ત્યારે તેને એકસ્ત્રીકેસરી (monocarpellary) કહે છે.
જો સ્ત્રીકેસર એક કરતાં વધુ હોય ત્યારે તેઓને બહુસ્ત્રીકેસરી અને જોડાયેલાં હોય તો યુક્તસ્ત્રીકેસરી કહે છે અથવા સ્ત્રીકેસરો મુક્ત હોય તો મુક્ત સ્ત્રીકેસરી કહે છે.
સ્ત્રીકેસરની રચના $:$ પ્રત્યેક સ્ત્રીકેસર ત્રણ ભાગો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય (અંડાશય) ધરાવે છે.
પરાગાસન $:$ એ પરાગરજ માટેનું ગ્રાહીસ્થાન છે.
પરાગવાહિની $:$ પરાગવાહિની પરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ છે.
અંડાશય $:$ સ્ત્રીકેસરના તલસ્થ ફૂલેલા ભાગને બીજાશય કે અંડાશય કહે છે. બીજાશયની અંદર બીજાશય પોલાણ (કોટર) આવેલું છે.
જરાયુ $:$ બીજાશયના પોલાણમાં આવેલું છે. જરાય પરથી મહાબીજાણુધાની (Megasporangium) ઉદ્દભવે છે. જેને સામાન્યતઃ અંડકો (ovules) કહે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા એક (ડાંગર, ઘઉં, કેરી)થી ઘણી (પપૈયું, તડબૂચ, ઑર્કિડ્રસ) હોય છે.
દ્ઘિદળી વનસ્પતિમાં સામાન્ય ભ્રૂણપૂટની કોષકેન્દ્રિકાની ગોઠવણી ......... છે.
ભ્રૂણપુટ બનવા માટેનો સાચો કમ છે.
માદા જન્યુજનકની $7$ -કોષીય, $8$ -કોષકેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામનિર્દેશિત આકૃતિ સહ સમજાવો.
નીચેની આકૃતિ પુખ્ત ભ્રૂણપુટની છે. તેમાં નરજન્યુઓ ક્યાં જોડાય છે ?
એક પૂર્ણ વિકસીત માદાજન્યુજનકમાં કેટલા સહાયક કોષો હોય છે?