(N/A) કોઈ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને તે માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર. જો $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હોય અને $v$ એ માધ્યમમાં પ્રકાશનો વેગ હોય,તો $n = c / v$.
જો $n_{a}$ અને $n_{b}$ એ અનુક્રમે માધ્યમ $A$ અને $B$ ના નિરપેક્ષ વક્રીભવનાંક હોય,તો $n_{a} = c / v_{a}$ અને $n_{b} = c / v_{b}$ થાય.
માધ્યમ $A$ ની સાપેક્ષે માધ્યમ $B$ નો વક્રીભવનાંક $(_{a}n_{b})$ નીચે મુજબ મળે:
$_{a}n_{b} = \frac{\text{માધ્યમ } A \text{ માં પ્રકાશનો વેગ}}{\text{માધ્યમ } B \text{ માં પ્રકાશનો વેગ}} = \frac{v_{a}}{v_{b}} = \frac{c/n_{a}}{c/n_{b}} = \frac{n_{b}}{n_{a}}$.
પ્રકાશના વેગ વિશે: પ્રકાશનો વેગ માધ્યમની પ્રકાશીય ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ માધ્યમની પ્રકાશીય ઘનતા વધે છે,તેમ તે માધ્યમમાં પ્રકાશનો વેગ ઘટે છે અને તેનાથી ઉલટું.