વ્હીલને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને નિયમિત ગતિ કરતું તથા યાંત્રિક (રેખીય અને ચાકગતિ) સંતુલનમાં છે તેમ ધારો. કારણ કે તેની ગતિ જાળવી રાખવા બહારથી કોઈ બાહ્યબળ કે ટોર્કની જરૂર નથી. છતાં વ્હીલનાં કણો કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ અનુભવે છે. વ્હીલના સંતુલન સાથે આ હકીકતની સમજૂતી કેવી રીતે કરશો ? અડધા વ્હીલને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને નિયમિત ગતિમાં કેવી રીતે ગોઠવશો ? આ ગતિ જાળવી રાખવા બાહ્યબળની જરૂર પડશે ?
વ્હીલને દ્ઢ વસ્તુ ગણી શકાય. તેના કણોનો કેન્દ્રગામી પ્રવેગ, આંતરિક સ્થિતિસ્થાપક બળોને કારણે ઉદભવે છે. જે જોડમાં એકબીજાની વિરુદ્ધ અને સમાન મૂલ્ય ન હોવાથી નાબૂદ થાય છે.
અડધા વ્હીલમાં દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને દળનું વિસ્તરણ સંમિત નથી તેથી આ વ્હીલના કોણીય વેગમાનની દિશા એ તેના કોણીય વેગની દિશા સાથે સંપાત થતી નથી, તેથી ગતિને જાળવી રાખવા બાહ્ય ટોર્કની જરૂર પડે અને બાહ્ય ટોર્ક માટે બાહ્ય બળની જરૂર પડે.
દરેક $M$ દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ $3\,m$ ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક $\sqrt{x} m$ છે, તો $x=........$ થશે.
અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા $1 \;m$ લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે $5\, kg$ અને $10\, kg$ દ્રવ્યમાનના કણો જોડેલ છે. $5\, kg$ ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે ($m$ માં) હશે?
અક તંત્રમાં $m_1=3 \mathrm{~kg}$ અને $m_2=2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. $m_1$ દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ $2 \mathrm{~cm}$ જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે $m_2$ દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ. . . . . $cm$ અંતરથી ખસેડવો પડશે.
ગુરુત્વકેન્દ્ર પર ટૂંકનોંધ લખો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $\mathrm{R}$ ત્રિજ્યાના ગોળામાથી $1$ ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર $G$ આગળ મળતું હોય તો $R$ કયા સમીકરણ વડે મેળવી શકાય?