(N/A) વક્રીભવનના બે નિયમો નીચે મુજબ છે:
$(i)$ આપાતકિરણ,વક્રીભૂત કિરણ અને બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટીના આપાતબિંદુએ દોરેલો લંબ,ત્રણેય એક જ સમતલમાં હોય છે.
$(ii)$ પ્રકાશના આપેલા રંગ માટે અને આપેલા માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઈન $(sin)$ અને વક્રીભવનકોણના સાઈન $(sin)$ નો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમને સ્નેલનો વક્રીભવનનો નિયમ પણ કહેવામાં આવે છે.
$(b)$ માધ્યમ $A$ નો વક્રીભવનાંક $(n_A = 2.42)$ એ માધ્યમ $B$ ના વક્રીભવનાંક $(n_B = 1.65)$ કરતા વધારે હોવાથી,પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. તેથી,માધ્યમ $B$ માં પ્રવેશતી વખતે વક્રીભૂત કિરણ લંબથી દૂર જશે. જ્યારે કિરણ સ્લેબમાંથી બહાર નીકળીને ફરીથી માધ્યમ $A$ માં પ્રવેશે છે,ત્યારે તે લંબ તરફ વળશે. કિરણનો માર્ગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રહેશે.