$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.

$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$

$(i)$ સમયુગ્મી સજીવનાં જન્યુઓ એક જ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. જયારે વિષમયુગ્મી સજીવનાં જન્યુઓ બે અલગ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. મનુષ્ય $XX/XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન દર્શાવે છે. માદા બે $(XX)$ રંગસુત્રો ધરાવે છે. જ્યારે નર એક $X$ અને બીજું $Y$ $(XY)$ રંગસુત્ર ધરાવે છે, તેથી અંડકોષો એક જ પ્રકારનાં $(X)$ રંગસૂત્ર ધરાવે છે. જ્યારે શુક્રકોષો $(X) / (Y)$ પ્રકારનાં રંગસૂત્રો ધરાવે છે. તેથી મનુષ્યમાં માદા સમયુગ્મી અને નર વિષમયુગ્મી છે.

$(ii)$ કેટલાંક એવા ઉદાહરણ જોવા મળે છે જેમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે. કેટલાંક પક્ષીઓમાં નર $(ZZ)$ લિંગી રંગસૂત્ર ધરાવે છે. માદા $(ZW)$ લિંગી રંગસૂત્ર ધરાવે છે. આવું જ મોથ (ફૂદાં) અને પતંગિયામાં પણ જોવા મળે છે.

$(b)$

$(i)$ બાળકના જાતિ નિશ્ચયનમાં વિષમયુગ્મી સજીવનો ફાળો હોય છે. મનુષ્યમાં નર વિષમયુગ્મી હોય છે તેથી બાળકની જાતિ નિશ્ચયનમાં નર ભાગ ભજવે છે.

$(ii)$ મગર જેવા કેટલાંક પ્રાણીઓમાં નીચા તાપમાને માદા સંતતિ અને વધુ તાપમાન હોય તો નર સંતતિ ઉત્પન્ન થતી જોવા મળે છે,

Similar Questions

એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?

સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.

કઈ રંગસૂત્ર જોડી નર તીતીઘોડામાં જોવા મળે છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ)

કોલમ - $II$

(ઉદાહરણ)

$P$ $XO$ - પ્રકાર $I$ તીતીઘોડો
$Q$ એેકકીય-દ્વિકીય પ્રક્રિયા $II$ ડ્રોસોફિલા
$R$ $XY$ પ્રકાર $III$ મધમાખી

કોઈ પણ એક સ્થિતિમાં સાચી રીતે જાતીયતા નક્કી કરવાની પદ્ધતિ આપેલ ઉદાહરણમાં વર્ણવેલ છે.

  • [AIPMT 2011]