$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.
$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો.
$(a)$
$(i)$ સમયુગ્મી સજીવનાં જન્યુઓ એક જ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. જયારે વિષમયુગ્મી સજીવનાં જન્યુઓ બે અલગ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. મનુષ્ય $XX/XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન દર્શાવે છે. માદા બે $(XX)$ રંગસુત્રો ધરાવે છે. જ્યારે નર એક $X$ અને બીજું $Y$ $(XY)$ રંગસુત્ર ધરાવે છે, તેથી અંડકોષો એક જ પ્રકારનાં $(X)$ રંગસૂત્ર ધરાવે છે. જ્યારે શુક્રકોષો $(X) / (Y)$ પ્રકારનાં રંગસૂત્રો ધરાવે છે. તેથી મનુષ્યમાં માદા સમયુગ્મી અને નર વિષમયુગ્મી છે.
$(ii)$ કેટલાંક એવા ઉદાહરણ જોવા મળે છે જેમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે. કેટલાંક પક્ષીઓમાં નર $(ZZ)$ લિંગી રંગસૂત્ર ધરાવે છે. માદા $(ZW)$ લિંગી રંગસૂત્ર ધરાવે છે. આવું જ મોથ (ફૂદાં) અને પતંગિયામાં પણ જોવા મળે છે.
$(b)$
$(i)$ બાળકના જાતિ નિશ્ચયનમાં વિષમયુગ્મી સજીવનો ફાળો હોય છે. મનુષ્યમાં નર વિષમયુગ્મી હોય છે તેથી બાળકની જાતિ નિશ્ચયનમાં નર ભાગ ભજવે છે.
$(ii)$ મગર જેવા કેટલાંક પ્રાણીઓમાં નીચા તાપમાને માદા સંતતિ અને વધુ તાપમાન હોય તો નર સંતતિ ઉત્પન્ન થતી જોવા મળે છે,
મધમાખીની બાબતમાં સાચું ક્યું છે?
લિગ નિશ્ચયનની જનીનીક રંગસૂત્રીય પદ્ધતિ અમુક પ્રયોગો કરવાથી મેળવી શકાય છે. તેનાં શરૂઆતનાં સંકેતો શેમાં પ્રયોગો કરી મેળવાયા ?
પક્ષીઓમાં જોવા મળતા લિંગ નિશ્ચયનની માહિતી આપો.
નર તિતિઘોડાનું જનીનીક બંધારણ નીચેનામાંથી કયું હશે?
જો કોઈ દંપતીને $5$ સંતાનો છોકરી હોય તો છઠ્ઠુ સંતાન નર આવવાની સંભાવના કેટલી?