(N/A) પ્રક્રિયા નીચે મુજબ છે:
$C_6H_5OCH_3 + HI \rightarrow C_6H_5OH + CH_3I$
સમજૂતી:
એનિસોલ એ ઈથર છે જેમાં $C_6H_5-O$ અને $O-CH_3$ બંધ હોય છે.
$C_6H_5-O$ બંધ પ્રબળ છે કારણ કે ઓક્સિજન બેન્ઝીન વલયના $sp^2$ સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે અને સસ્પંદનને કારણે $C-O$ બંધમાં આંશિક દ્વિબંધ લાક્ષણિકતા આવે છે.
તેથી,$O-CH_3$ બંધ નિર્બળ છે અને પ્રક્રિયા દરમિયાન તૂટે છે.
ક્રિયાવિધિ:
$(i)$ પ્રોટોનિકરણ: એનિસોલનો ઓક્સિજન પરમાણુ $H^+$ દ્વારા પ્રોટોનેટેડ થઈને પ્રોટોનેટેડ ઈથર બનાવે છે.
$C_6H_5-O(CH_3)-H^+$
(ii) કેન્દ્રાનુરાગી વિસ્થાપન: આયોડાઈડ આયન $(I^-)$ ઓછા અવકાશી અવરોધ ધરાવતા મિથાઈલ સમૂહ $(CH_3)$ પર હુમલો કરે છે,જેનાથી $O-CH_3$ બંધ તૂટીને ફિનોલ $(C_6H_5OH)$ અને મિથાઈલ આયોડાઈડ $(CH_3I)$ બને છે.
બનતો ફિનોલ $HI$ સાથે આગળ પ્રક્રિયા કરીને $C_6H_5I$ બનાવતો નથી કારણ કે બેન્ઝીન વલયનો $sp^2$ સંકૃત કાર્બન $I^-$ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી.