(N/A) બનાવટ: આલ્કીન સંયોજનો ઉદ્દીપક ઍસિડ (મંદ $HCl$ અથવા $H_2SO_4$) ની હાજરીમાં પાણી $(HOH)$ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવે છે.
જો અસમમિત આલ્કીન હોય તો 'માર્કોવનિકોવના નિયમ' પ્રમાણે યોગશીલ નીપજ બને છે,એટલે કે દ્વિબંધ ધરાવતા વધારે વિસ્થાપિત કાર્બન સાથે $-OH$ અને ઓછા વિસ્થાપિત કાર્બન સાથે $-H$ જોડાય છે.
$(b)$ ક્રિયાવિધિ: આલ્કીનના જલીયકરણની પ્રક્રિયા ઈલેક્ટ્રોન-અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે જે ત્રણ તબક્કામાં થાય છે.
તબક્કો-$1$: ઈલેક્ટ્રોનઅનુરાગી $H_3O^+$ (અથવા $H^+$) નો આલ્કીન પર હુમલો થઈ પ્રોટોનેશન દ્વારા વધુ સ્થાયી કાર્બોકેટાયન બને છે. આ $C=C$ નો $\pi$-બંધ તૂટતો હોવાથી ધીમો અને વેગનિર્ણાયક તબક્કો છે.
તબક્કો-$2$: કાર્બોકેટાયન $(M)$ ઉપર કેન્દ્રાનુરાગી પાણી $(H_2\ddot{O}:)$ હુમલો કરીને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે.
તબક્કો-$3$: પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન દૂર થઈને આલ્કોહોલ મળે છે.