(N/A) વનવિસ્તારોનું વનરહિત વિસ્તારમાં રૂપાંતર થવું તેને વન-નાબૂદી કે નિર્વનીકરણ કહે છે.
અંદાજિત $40$ ટકા જંગલોનો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં નાશ થયો છે,જ્યારે શીતોષ્ણ પ્રદેશમાં માત્ર $1$ ટકા જંગલો નાશ પામ્યાં છે.
ભારતમાં આ સ્થિતિ વધુ ગંભીર છે. $20$મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના $30$ ટકા જંગલો હતાં,જે સદીના અંત સુધીમાં ઘટીને $21.54$ ટકા થઈ ગયાં છે. ભારતની રાષ્ટ્રીય વનનીતિ $(1988)$ દ્વારા મેદાની વિસ્તારમાં $33$ ટકા અને પર્વતીય ક્ષેત્રોમાં $67$ ટકા જંગલો હોવાની ભલામણ કરવામાં આવી છે.
વન-નાબૂદીનાં કારણો: $(i)$ વધતી જતી માનવવસ્તી માટે ખોરાક પૂરો પાડવા જંગલની જમીનને ખેતીલાયક જમીનમાં ફેરવવી. $(ii)$ વૃક્ષોને ઈમારતી લાકડાં,બળતણ,પશુપાલન અને અન્ય હેતુઓ માટે કાપવા.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પ્રચલિત 'કાપો અને સળગાવો' ખેતી (ઝૂમ ખેતી) તેનું મુખ્ય કારણ છે.
આ ખેતીમાં ખેડૂતો જંગલનાં વૃક્ષોને કાપીને બાળી નાખે છે. તેની રાખ ખાતર તરીકે વપરાય છે અને તે જમીન ખેતી કે પશુઓના ચરાણ માટે ઉપયોગમાં લેવાય છે.
ખેતી બાદ આ વિસ્તારને ઘણાં વર્ષો સુધી પડતર છોડી દેવામાં આવે છે જેથી જંગલનું પુનઃસ્થાપન થઈ શકે.
નિર્વનીકરણનાં પરિણામો: વાતાવરણમાં $CO_2$ નું પ્રમાણ વધે છે કારણ કે વૃક્ષો જે પોતાના જૈવભારમાં કાર્બનનો સંગ્રહ કરતા હતા,તે નાશ પામે છે.
આનાથી જલચક્ર અસંતુલિત થાય છે,જમીનનું ધોવાણ થાય છે અને અંતે રણ-સ્થળીકરણની સમસ્યા સર્જાય છે. પુનઃ વનીકરણ માટે તે વિસ્તારની મૂળ જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરવું જોઈએ.