(N/A) સૂક્ષ્મ જીવો પરના પ્રયોગો દર્શાવે છે કે,પૂર્વ-અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપ પ્રકારો (phenotypes) જોવા મળે છે. કેટલીક પેઢીઓ પછી,તે જાતિનિર્માણમાં પરિણમે છે.
પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી રાખવામાં મદદ કરે છે,વધુ પ્રજનનક્ષમ બનાવે છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરવામાં પરિણમે છે. તર્ક આધારિત વિશ્લેષણ સૂચવે છે કે વિકૃતિ,જનીનપ્રવાહ,જનીનિક વિચલન અથવા જનનકોષનિર્માણ દરમિયાન થતા પુનઃસંયોજનને કારણે સર્જાતી ભિન્નતાઓ ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર લાવે છે.
પ્રાકૃતિક પસંદગી દ્વારા સજીવો પોતાની પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. પ્રાકૃતિક પસંદગી ત્રણ પ્રકારના ઉદ્દવિકાસીય ફેરફારો તરફ દોરી જાય છે:
$1$. સ્થિરતાકારી પસંદગી (Stabilizing selection): જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ મૂલ્ય પ્રાપ્ત કરે છે.
$2$. દિશાકીય ફેરફાર (Directional change): જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ મૂલ્ય સિવાયના મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$3$. ભંગાણજનક ઉદ્દવિકાસ (Disruptive evolution): જેમાં વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં જોવા મળે છે.