(N/A) હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત જણાવે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકો (alleles) ની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. જનીન સેતુ (gene pool) (વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો) અચળ રહે છે,જેને જનીનિક સમતુલન કહેવાય છે.
દ્વિકીય સજીવમાં,ધારો કે વૈકલ્પિક કારક $A$ ની આવૃત્તિ $p$ છે અને વૈકલ્પિક કારક $a$ ની આવૃત્તિ $q$ છે.
બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો $1$ થાય છે,તેથી $p + q = 1$.
$AA$ જનીન પ્રકાર ધરાવતા સજીવોની આવૃત્તિ $p^2$ છે,$aa$ જનીન પ્રકાર ધરાવતા સજીવોની આવૃત્તિ $q^2$ છે,અને $Aa$ જનીન પ્રકાર ધરાવતા સજીવોની આવૃત્તિ $2pq$ છે.
આમ,બીજગણિતીય સમીકરણ $p^2 + 2pq + q^2 = 1$ છે,જે $(p + q)^2 = 1$ નું વિસ્તરણ છે.
જ્યારે માપવામાં આવેલી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યોથી અલગ હોય,ત્યારે તે ઉદ્દવિકાસીય ફેરફાર સૂચવે છે. જનીનિક સમતુલા અથવા હાર્ડી-વેઇનબર્ગ સમતુલામાં ખલેલને વસ્તીમાં થતા ઉદ્દવિકાસીય ફેરફારના પરિણામ તરીકે જોવામાં આવે છે.