લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીનું રંગઅંધતાના વંશાવળી પૃથક્કરણ દ્વારા વર્ણન કરો.
રંગઅંધતા (colour blindness) આ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે. જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે.
આ ખામી $X$ રંગસૂત્ર પર હાજ૨ કેટલાં ક જનીનોની વિકૃતિને કારણે થાય છે. આ આશરે $8\, \%$ નરોમાં જયારે $0.4\, \%$ સ્ત્રીઓમાં જોવા મળે છે.
લાલ-લીલા રંગની અંધતા માટેના જનીનો $X$ રંગસૂત્ર પર આવેલા છે. નર ફક્ત એક જ અને માદા બે રંગસૂત્ર ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગઅંધ થવાની શક્યતાઓ $50\, \%$ જેટલી છે.
માતા પોતે રંગઅંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે, તેની અસર તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવાય છે.
સામાન્ય રીતે પુત્રી રંગઅંધ હોતી નથી જયાં સુધી તેની માતા વાહક અને પિતા રંગઅંધ હોય.
વિશેષ જાણકારી (More Information) $:$
સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?
એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેમાં પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધતા ધરાવતું હશે?
દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?
એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?
રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી,સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતાનો ગુણોત્તર શું હશે?