મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મૅન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય $1865$માં પ્રકાશિત કરેલું તેમ છતાં $1900$ સુધી તે કાર્ય અજાણ રહ્યું.

સંચાર વ્યવહાર સરળ ન હતો.

તેનાં લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતાં કારકો (allel) અંગેના વિચારો તેમના સમકાલીનોને સ્વીકાર્ય ન હતા.

આ જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથક્કરણ કરી વર્ણન કરવાનો મેન્ડલનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો.

કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા. તેમને કોષમાં આ કારકોના સ્થાનની (હાલમાં જનીન કહીએ છે તે) જાણકારી નહોતી.

તે દિવસોમાં પ્રજનનમાં કોષકેન્દ્રના ફાળા બાબતે કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના અસ્તિત્વ અંગે જાણ નહોતી.

Similar Questions

સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?

મોર્ગને કેમ નાની ડ્રોસાફિલા માખી પર પ્રયોગો કર્યા?

જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે. 

જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.

મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.