(N/A) $\rightarrow$ સૃષ્ટિ વનસ્પતિમાં તમામ સુકોષકેન્દ્રીય,હરિતદ્રવ્ય ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે,જેને સામાન્ય રીતે વનસ્પતિ કહેવામાં આવે છે.
$\rightarrow$ કેટલાક સભ્યો આંશિક રીતે પરપોષી હોય છે,જેમ કે કીટાહારી વનસ્પતિઓ અથવા પરોપજીવીઓ.
$\rightarrow$ બ્લેડરવર્ટ અને વીનસ ફ્લાયટ્રેપ એ કીટાહારી વનસ્પતિઓના ઉદાહરણો છે અને કસ્ક્યુટા (અમરવેલ) એ પરોપજીવી છે.
$\rightarrow$ વનસ્પતિ કોષો સુકોષકેન્દ્રીય બંધારણ ધરાવે છે,જેમાં મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ અને સ્પષ્ટ હરિતકણો હોય છે.
$\rightarrow$ સૃષ્ટિ વનસ્પતિમાં લીલ,દ્વિઅંગી (Bryophytes),ત્રિઅંગી (Pteridophytes),અનાવૃત બીજધારી (Gymnosperms) અને આવૃત બીજધારી (Angiosperms) નો સમાવેશ થાય છે.
$\rightarrow$ એકાંતરજનન (Alternation of generation): વનસ્પતિના જીવનચક્રમાં બે સ્પષ્ટ તબક્કાઓ હોય છે - દ્વિકીય બીજાણુજનક (sporophytic) અને એકકીય જન્યુજનક (gametophytic),જે એકબીજા સાથે એકાંતરે આવે છે.
$\rightarrow$ એકકીય અને દ્વિકીય તબક્કાઓની લંબાઈ અને આ તબક્કાઓ મુક્તજીવી છે કે અન્ય પર આધારિત છે,તે વનસ્પતિના વિવિધ જૂથોમાં અલગ-અલગ હોય છે.
$\rightarrow$ આ ઘટનાને એકાંતરજનન કહેવામાં આવે છે.