(N/A) આયનીય બંધનું નિર્માણ નીચેના પરિબળો દ્વારા નક્કી થાય છે:
$1$. ઓછી આયનીકરણ એન્થાલ્પી: તટસ્થ પરમાણુમાંથી ધન આયન $(M_{(g)} \rightarrow M_{(g)}^{+} + e^{-})$ બનાવવા માટે ઊર્જાની જરૂર પડે છે. ઓછી આયનીકરણ એન્થાલ્પી $(\Delta_{i} H)$ ધન આયન બનાવવાનું સરળ બનાવે છે.
$2$. વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી: તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન $(X_{(g)} + e^{-} \rightarrow X_{(g)}^{-})$ બનતી વખતે ઊર્જા મુક્ત થાય છે. વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $(\Delta_{eg} H)$ ઋણ આયન બનાવવા માટે અનુકૂળ છે.
$3$. ઊંચી લેટીસ એન્થાલ્પી: વાયુમય આયનોમાંથી સ્ફટિક લેટીસ $(M_{(g)}^{+} + X_{(g)}^{-} \rightarrow MX_{(s)})$ બનતી વખતે મોટી માત્રામાં ઊર્જા મુક્ત થાય છે. ઊંચી ઋણ લેટીસ એન્થાલ્પી $(\Delta_{L} H)$ આયનીય સંયોજનને સ્થિર કરે છે.
ટુંકમાં,આયનીય બંધ એવા તત્વો વચ્ચે સરળતાથી બને છે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય,જે સ્થિર સ્ફટિક લેટીસ રચના તરફ દોરી જાય છે.