બાહ્ય સ્થાન સંરક્ષણ $( \mathrm{Ex-situ} )$ વિશે માહિતી આપો.
આ અભિગમમાં, સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનોમાંથી બહાર, ચોક્કસ સ્થાનમાં સામૂહિક રીતે રાખવામાં આવે છે કે જ્યાં તેમની કાળજી લઈ શકાય, સુરક્ષા આપી શકાય.
પ્રાણી ઉદ્યાનો $(zoological park)$, વનસ્પતિ ઉદ્યાનો $(botanical gardens)$ અને વન્યજીવન સફારી પાર્ક આ હેતુઓ માટે સેવાઓ આપે છે. એવાં ઘણાં પ્રાણીઓ છે કે જે જંગલમાં લુપ્ત થઈ ગયાં છે પણ પ્રાણી ઉદ્યાનોમાં જળવાઈ રહ્યા છે. હાલમાં સંકટમાં રહેલી જાતિના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન તક્રનીકી (શીત જળવણી) $-196^{\circ}$ સે તાપમાને, પ્રવાહી નાઇટ્રોજનમાં અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરવાની પદ્ધતિનો અમલ થાય છે.
આના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં જળવાઈ શકે છે.ઇંડાને કૃત્રિમ રીતે ફલિય કરી શકાય છે.પેશી સંસ્કરણ $(tissue culture)$થી વનસ્પતિઓનું પ્રસર્જન $(propogation)$ થાય છે. વ્યાપારિક ધોરણે મહત્તની વનસ્પતિઓના વિભીન્ન જનીનિક જાતોના બીજને બીજબૅન્કો $(seed bank)$માં રાખી શકાય છે.
ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
$2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કઈ બાબત પર પરિષદ યોજવામાં આવી હતી?
નીચે પૈકી ઉચ્ચ સ્તરની જૈવવિવિધતા ક્યાં જોવા મળે છે?
જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.