(N/A) દ-બ્રોગ્લીનો સિદ્ધાંત: ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ-બ્રોગ્લીએ $1924$ માં સૂચવ્યું હતું કે દ્રવ્ય,વિકિરણની જેમ,દ્વૈત સ્વભાવ એટલે કે કણ અને તરંગ બંનેના ગુણધર્મો ધરાવે છે.
આનો અર્થ એ છે કે જેમ ફોટોન વેગમાન અને તરંગલંબાઈ ધરાવે છે,તેમ ઈલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગલંબાઈ ધરાવતા હોવા જોઈએ.
દ-બ્રોગ્લી સિદ્ધાંતની સામ્યતા: દ્રવ્યના કણની તરંગલંબાઈ $(\lambda)$ અને વેગમાન $(p)$ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:
$\lambda = \frac{h}{mv} = \frac{h}{p} \quad (Eq. -2.30)$
દ-બ્રોગ્લીના દ્વૈત સ્વભાવનો પુરાવો: દ-બ્રોગ્લીની આગાહી પ્રાયોગિક રીતે ત્યારે સાબિત થઈ જ્યારે જાણવા મળ્યું કે ઈલેક્ટ્રોન કિરણાવલી વિવર્તન (diffraction) અનુભવે છે,જે તરંગોની લાક્ષણિકતા છે.
મર્યાદા: દ-બ્રોગ્લી અનુસાર,ગતિમાં રહેલી દરેક વસ્તુ તરંગ સ્વભાવ ધરાવે છે. સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગલંબાઈ એટલી ટૂંકી હોય છે (તેમના મોટા દળને કારણે) કે તેમના તરંગ ગુણધર્મો શોધી શકાતા નથી.
જોકે,ઈલેક્ટ્રોન અને અન્ય અપરમાણ્વીય કણો (ખૂબ ઓછા દળ ધરાવતા) સાથે સંકળાયેલી તરંગલંબાઈ પ્રાયોગિક રીતે શોધી શકાય છે.