નર સહાયક પ્રજનનગ્રંથિઓ વિશે નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નરની સહાયક પ્રજનન ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. આ ગ્રંથિઓ વીર્ય પેદા કરે છે.

શુક્રાશય $:$ શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગે આવેલાં હોય છે. તે વીર્યનું $60\, \%$ પ્રવાહી ઉત્પન્ન કરે છે. તેનો ઘટ્ટ અને પીળાશ પડતો સ્રાવ શર્કરા, વિટામિન $C$ અને અન્ય ઘટકોથી સભર હોય છે. જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. દરેક શુક્રાશયની નલિકા શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે છે, તેથી શુક્રકોષો શુક્રાશય પ્રવાહી સાથે મૂત્રજનનમાર્ગમાં પ્રવેશે છે.

પ્રોસ્ટેટ ગ્રંથિ $:$ પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયના પશ્ચ પ્રદેશમાં આવેલ છે. પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્રાવ દૂધ જેવો હોય છે, તે શુક્રકોષોને સક્રિય કરે છે તથા મૂત્રજનન માર્ગમાં ઘણી નાની નલિકાઓ દ્વારા દાખલ થાય છે.

બલ્બોયુરેથ્રલ ગ્રંથિ $:$ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ જોડમાં પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલ છે. પ્રોસ્ટેટ ગ્રંથિની જેમ તે બેઝિક (આલ્કલાઇન) પ્રવાહીનો સ્રાવ કરે છે. જે સમાગમ દરમિયાન ઘર્ષણનિરોધક તરીકે વર્તે છે.

વીર્યનું બંધારણ $:$ વીર્ય એ દૂધ જેવું સફેદ અને ચીકાશયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિના સ્રાવોનું મિશ્રણ છે. વીર્યની સાપેક્ષ આલ્કલીયતા $(pH\, 7.2$થી $7.6)$ યોનિમાર્ગના અમ્લીય પર્યાવરણને $(pH\, 3.5 - 4.0)$ તટસ્થ કરવામાં મદદ કરે છે. તે નાજુક શુક્રકોષોનું રક્ષણ અને ચલિતતામાં વધારો કરે છે. દરેક સ્ખલનમાં વીર્યનું કદ $3$થી $4$ મિલી હોય છે.

Similar Questions

શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?

નીચેનામાંથી કયાં સ્થાને શુક્રકોષો પરીપકવ બને ?

નીચેનામાંથી શેમાં ફ્રુકટોઝ, કેલ્શિયમ અને કેટલાંક ઉત્સેચકોનો સ્ત્રાવ સૌથી વધુ છે ?

 માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો ? 

શુક્રોત્પાદક નલિકા......માં ખૂલે છે.