(N/A) જ્યારે કોઈ ઘન પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડવામાં આવે છે,ત્યારે તેના પરિમાણમાં ત્રણ રીતે ફેરફાર થાય છે:
$(1)$ લંબાઈમાં,$(2)$ કદમાં અને $(3)$ આકારમાં.
પદાર્થના પરિમાણમાં થતા ફેરફાર અને તેના મૂળ પરિમાણના ગુણોત્તરને વિકૃતિ કહે છે.
લંબાઈગત વિકૃતિ: વિરૂપક બળને કારણે પદાર્થની લંબાઈમાં થતા આંશિક ફેરફારને લંબાઈગત વિકૃતિ કહે છે.
જો પદાર્થની મૂળ લંબાઈ $L$ હોય અને વિરૂપક બળ $F$ ને કારણે લંબાઈમાં થતો ફેરફાર $\Delta L$ હોય,તો લંબાઈગત વિકૃતિ $\varepsilon_{l}$ નીચે મુજબ મળે:
$\varepsilon_{l} = \frac{\Delta L}{L}$
જો લંબાઈમાં વધારો થાય,તો તેને તણાવ વિકૃતિ (tensile strain) કહેવાય છે અને જો લંબાઈમાં ઘટાડો થાય,તો તેને દાબીય વિકૃતિ (compressive strain) કહેવાય છે.