દ્રાવણમાં સવર્ગ સંયોજનની સ્થિરતા એટલે શું? સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરિબળો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દ્રાવણમાં સંકીર્ણની સ્થિરતા એ સંતુલનની સ્થિતિમાં રહેલી બે સ્પીસીઝ વચ્ચેના જોડાણની માત્રા દર્શાવે છે. સ્થિરતાને સ્થિરતા અચળાંક અથવા નિર્માણ અચળાંકના સંદર્ભમાં જથ્થાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે.
$M + nL \longleftrightarrow ML_n$
સ્થિરતા અચળાંક,$\beta = \frac{[ML_n]}{[M][L]^n}$
આ પ્રક્રિયા માટે,સ્થિરતા અચળાંકનું મૂલ્ય જેટલું વધારે,દ્રાવણમાં $ML_n$ નું પ્રમાણ તેટલું વધારે.
સ્થિરતા બે પ્રકારની હોઈ શકે છે:
$(a)$ ઉષ્માગતિશાસ્ત્રીય સ્થિરતા: સંતુલન બિંદુએ સંકીર્ણ કેટલા અંશે બનશે અથવા બીજી સ્પીસીઝમાં રૂપાંતરિત થશે તે ઉષ્માગતિશાસ્ત્રીય સ્થિરતા દ્વારા નક્કી થાય છે.
$(b)$ ગતિકીય સ્થિરતા: આ સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે રૂપાંતરણ કેટલી ઝડપથી થશે તે નક્કી કરવામાં મદદ કરે છે.
સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરિબળો:
$(a)$ મધ્યસ્થ ધાતુ આયન પરનો વીજભાર: મધ્યસ્થ ધાતુ આયન પરનો વીજભાર જેટલો વધારે,સંકીર્ણની સ્થિરતા તેટલી વધારે.
$(b)$ લિગેન્ડની બેઝિક પ્રકૃતિ: વધુ બેઝિક લિગેન્ડ વધુ સ્થિર સંકીર્ણ બનાવે છે.
$(c)$ કીલેટ વલયોની હાજરી: કીલેશન સંકીર્ણની સ્થિરતામાં વધારો કરે છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો લિગેન્ડ ઉચ્ચ સ્પીન અને નીચા સ્પીન બંને પ્રકારના સંકીર્ણ બનાવી શકે છે?

નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે?

પાણીમાં $Pb(NO_3)_2$ અને $NaCl$ ની પ્રક્રિયાથી એક અવક્ષેપ મળે છે જે યોગ્ય સાંદ્રતા ધરાવતા $HCl$ ઉમેરવાથી ઓગળી જાય છે. આ અવક્ષેપનું ઓગળવું એ શેના નિર્માણને કારણે છે?

જલીય $Cu^{2+}$ આયન કેવા રંગનો હોય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo