(N/A) દ્રાવણમાં સંકીર્ણની સ્થિરતા એ સંતુલનની સ્થિતિમાં રહેલી બે સ્પીસીઝ વચ્ચેના જોડાણની માત્રા દર્શાવે છે. સ્થિરતાને સ્થિરતા અચળાંક અથવા નિર્માણ અચળાંકના સંદર્ભમાં જથ્થાત્મક રીતે વ્યક્ત કરી શકાય છે.
$M + nL \longleftrightarrow ML_n$
સ્થિરતા અચળાંક,$\beta = \frac{[ML_n]}{[M][L]^n}$
આ પ્રક્રિયા માટે,સ્થિરતા અચળાંકનું મૂલ્ય જેટલું વધારે,દ્રાવણમાં $ML_n$ નું પ્રમાણ તેટલું વધારે.
સ્થિરતા બે પ્રકારની હોઈ શકે છે:
$(a)$ ઉષ્માગતિશાસ્ત્રીય સ્થિરતા: સંતુલન બિંદુએ સંકીર્ણ કેટલા અંશે બનશે અથવા બીજી સ્પીસીઝમાં રૂપાંતરિત થશે તે ઉષ્માગતિશાસ્ત્રીય સ્થિરતા દ્વારા નક્કી થાય છે.
$(b)$ ગતિકીય સ્થિરતા: આ સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે રૂપાંતરણ કેટલી ઝડપથી થશે તે નક્કી કરવામાં મદદ કરે છે.
સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરિબળો:
$(a)$ મધ્યસ્થ ધાતુ આયન પરનો વીજભાર: મધ્યસ્થ ધાતુ આયન પરનો વીજભાર જેટલો વધારે,સંકીર્ણની સ્થિરતા તેટલી વધારે.
$(b)$ લિગેન્ડની બેઝિક પ્રકૃતિ: વધુ બેઝિક લિગેન્ડ વધુ સ્થિર સંકીર્ણ બનાવે છે.
$(c)$ કીલેટ વલયોની હાજરી: કીલેશન સંકીર્ણની સ્થિરતામાં વધારો કરે છે.